Saturday, October 27, 2007

Aaj nu Aushadh.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

લવિંગ-વેદનાહર
અવારનવાર પાતળા ઝાડા થતાં હોય તેમને લવિંગ નાંખીને ઉકાળીને ઠંડું કરેલ પાણી આપવું. મરડો, ઝાડા, ઉદરશૂળ, આંકડી, શૂળ આવવી, આફરો આ તકલીફોમાં લવિંગ ઉત્તમ છે. લવિંગમાં પેટની આંકડી-સ્પાઝમ, દમ-શ્વાસનો હુમલો વગેરે મટાડવાનો ગુણ છે. એટલે જ આધુનિક વિજ્ઞાન પણ લવિંગને ઉત્તમ ‘એન્ટિસ્પાઝમોડિક’ કહે છે. આયુર્વેદમાં તો લવિંગને વેદનાહર કહેવાયા જ છે. આ ગુણને લીધે જ દાંતના ડોક્ટરો સડેલા દાંતના દુખાવામાં દાંત પર લવિંગના તેલનું પોતું-વાટ મૂકે છે. જો માથું દુખતું હોય તો કપાળ પર લવિંગ ચોપડવાથી તરત રાહત થાય છે. બે લવિંગ ચાવવાથી કફ-ઉધરસમાં રાહત થાય છે અને મોઢાની દુર્ગંધ મટે છે. લવિંગ ભૂખ લગાડે છે. આહારનું પાચન કરે છે અને કફના રોગો મટાડે છે.

No comments: