Monday, October 8, 2007

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

પથ્યપાલન
આયુર્વેદના મહર્ષિ લોલિંબરાજ પથ્યપાલન વિશે લખે છે કે,
વિનાપિ ભૈષજૈર્વ્યાધિ પથ્યાદેવ નિવર્તતે । ન તુ પથ્યવિહીનસ્ય ભૈષજાનાં શતૈરપિ ।।
પથ્યે સતિ ગદાર્તસ્ય કિમૌષધનિષેવણૈ । પથ્યેઙસતિ ગદાતેસ્ય કિમૌષધનિષેવણૈ ।।
એટલે કે, પથ્યપાલન કરનાર રોગીનો રોગ ઔષધિ વિના દૂર થાય છે, પણ પથ્યહીન રોગીનો રોગ સેંકડો ઔષધિ લેવા છતાં જશે નહીં. જો પથ્યપાલન કરવામાં આવે તો ઔષધિ લેવાનું કામ જ શું છે ? તાત્પર્ય રોગ સહજ દૂર થઈ જશે, પરંતુ જો રોગી પથ્યપાલન નહીં કરે તો ઔષધિ લેવાથી ફળ શું ? તાત્પર્ય એ કે ઔષધિ નકામી જ જશે. (જેવી રીતે લાકડાના સમૂહમાં પડેલો અગ્નિ અંતે ગંભીર રૂપ ધારણ કરે છે તેમ અપથ્ય સેવનથી રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે).

No comments: