Saturday, October 27, 2007

પાંચ સિંહોને મોતને ધાટ ઉતારનાર પ્રેમપરાના ખેડૂત સહિત ચાર શખ્સો રિમાન્ડ પર લેવાયા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી તા.૨૨
ધારી નજીકના પ્રેમપરા ગામે એક વાડી માલિક તથા તેના પુત્રોએ મળી ઈલેકટ્રીક શોક દ્રારા પાંચ સિંહોની કરેલી નિમેમ હત્યાના ઝડપાયેલા તમામને આજે કોટેમાં રજુ કરવામા આવતા કોટેએ તમામને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે,જયારે આ તમામને કોટેમાં રજુ કરવામા આવતા મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફીટકારની લાગણી વરસાવી હતી.

સિંહોની હત્યા અંગે વાડી માલિક દુલેભજી શંભુ વાડદોરીયા,તેનો પુત્ર નરેશ,ટ્રેકટર માલિક રવજી છગન હીરાણી,ટ્રેકટર ડ્રાઈવર ભલા ખીમા ખાચરને ધારી કોટેમાં રજુ કરવામા આવતા પ્રથમ ૧૦ દિવસની રિમાન્ડ માંગવામા આવી હતી પરંતુ કોટેએ ચાર દિવસના રિમાન્ડ મંજુર કયો હતા.નવના ગ્રુપમાંથી પાંચ સિંહોની હત્યા બાદ હજુ ચાર સિંહબાળ લાપતા હોય તેનુ લોકેશન મેળવવા વનવિભાગનો સ્ટાફ જંગલમાં ચારેબાજું વ્યાપક શોધખોળ કરી રહયુ છે.દરમ્યાન ગીર નેચર યુથ કલબ દ્રારા આ હીચકારા બનાવની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.તાજેતરમાં સિંહોના શિકારની ધટનાઓ બાદ નવા મુકાયેલા ડી.એફ.ઓ.ની પણ ટુંકાગાળામાં બદલી કરવામા આવી છે,ત્યારે આવી સંવેદનશીલ જગ્યાઓ પરથી છાશવારે કરવામા આવત બદલીઓ તંત્રની ઉદાસીનતાનો નમુનો હોવાનું ગીર નેચર યુથ કલબે જણાવ્યું છે.

No comments: