Thursday, October 4, 2007

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

અગથિયો-૧
આયુર્વેદિય ઔષધ અગસ્ત્યને આપણે 'અગથિયો' કહીએ છીએ. આ અગથિયાનાં વૃક્ષો ઘણાં જ મોટાં થાય છે અને બાગાયત-કેળવેલી જમીનમાં તેને ઉગાડી શકાય છે. રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે. એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે. એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે. ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે. એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે. એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.

No comments: