Sunday, October 7, 2007

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

અગર-૨
ઉત્તમ ઔષધ અગરને મહર્ષિ ચરકે શરદી અને ખાંસીનો નાશકર્તા માનેલ છે. સુશ્રુત લખે છે કે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રંગ સુધારનાર, ખંજવાળ અને કોઠ તથા ચામડીના રોગોનો નાશકર્તા માનેલ છે. અગરની લાકડીનાં નાનાં ટુકડાઓ પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી વારંવારની તરસ ઓછી થાય છે. એને વાય-એપીલેપ્સી, ઉન્માદ, અપસ્મારમાં પરમોપયોગી ગણે છે. એ ગરમ પ્રકૃતિવાળાને હાનિકારક છે. આધુનિક મત પ્રમાણે તે વાતવાહિનીઓને ઉત્તેજક છે. વાતરક્ત અને આમવાતમાં તે અપાય છે. અગર અને ચંદનની ભૂકી સરખે ભાગે મિશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આંતરિક ગરમીનું શમન થાય છે. અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચૂર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.

No comments: