Saturday, October 27, 2007

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

મંદાગ્નિ નિદ્રાપ્રદ
(1) આજકાલ 'ભૂખ મરી ગઈ છે' એવી ફરિયાદ કરનારાઓની સંખ્યા ઓછી તો નથી જ. આવી તકલીફવાળાઓએ થોડું સિંધાલુણ અને લીંબુના રસના આઠ-દસ ટીંપા પાડેલ અડધી ચમચી અજમો સવાર-સાંજ ખૂબ ચાવીને ખાવો. ચારથી છ દિવસમાં જ ભૂખ સારી રીતે ઊઘડી જશે. કબજિયાત ગેસ-ગોળો, આફરો મટી જશે અને પેટ હળવુંફુલ બની જશે.(૨) અશ્વગંધા એ આયુર્વેદનું સુપ્રસિદ્ધ ઔષધ છે. તેનું લેટિન નામ તિધાનિયા સોમ્નિફેરા છે. સોમ્નિફેરાનો અર્થ થાય છે નિદ્રાપ્રદ અથવા ઊંઘ લાવનાર. આયુર્વેદીય મત પ્રમાણે ઊંઘ ન આવવાનું કારણ વાયુનો પ્રકોપ ગણાય છે. અશ્વગંધા વાયુનો નાશ કરવાનો ગુણ ધરાવતું હોવાથી એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ એમાં એટલી જ સાકર મિશ્ર કરીને દૂધમાં ાાખી પીવાથી ઊંઘ સારી આવે છે

No comments: