Thursday, January 17, 2013

તાલાલા અને માળિયાપંથકમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.

Bhaskar News, Talala | Jan 17, 2013, 02:00AM IST
- એ.પી.સેન્ટર સાસણ: ગીર જંગલમાં ૪ સેકન્ડ ધ્રુજારી અનુભવાઇ
- લાંબા સમયથી ધ્રુજારી શાંત હતી ત્યારે રાત્રે ૨.૩નો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો


તાલાલા સહિત ગીર પંથકમાં આજે મોડી સાંજે ૨.૩ તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા તાલાલા, માળિયાહાટિના વિસ્તારોમાં આ ધ્રૂજારીથી ફફડાટની લાગણી સર્જાઇ હતી.

તાલાલા સહિત ગીર પંથકમાં હમણા છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા શાંત હોય જેથી લોકો રાહત અનુભવતા હતા . જોકે  આ રાત્રે ૮.૩૦ કલાકે તાલાલા અને માળિયા વિસ્તારમાં ૨.૩ તિવ્રતાનો આંચકો આવતા ગ્રામ્ય વિસ્તારો અને ગીરજંગલનાં ગામોમાં આ આંચકાની અસર જણાઇ હતી.

દરમિયાન ૨.૩ તિવ્રતાનાં આવેલા આ આંચકનો એ.પી.સેન્ટર તાલાલા થી ૧૩ કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ દિશામાં સાસણગીર નજીક નોંધાયું હતું. દર વર્ષે શિયાળાની ઋતુમાં ઠંડીનાં પ્રમાણની સાથે ધરતીનું સળવળાટ પણ વધતો હોય જેથી અવાર-નવાર ભૂકંપનાં આંચકા આ વિસ્તારમાં નોંધાયા છે પણ ચાલુ વર્ષે ભૂકંપનાં આંચકાનું પ્રમાણ નહીંવત હતું અને લાંબા સમયથી ધરા પણ શાંત હતી. આવા સમયે આજના આવેલા આંચકાથી તાલાલા ઉપરાંત સાસણગીર, ભાલછેલ, હરીપુર, દેવળીયા, જલંધર, લાડુળી, માળીયાના અમરાપુર, કાત્રાસા સહિતમાં અસર અનુભવાઇ હતી.

No comments: