Thursday, January 17, 2013

માળીયાના ફતેપરમાં ઝેરી અસરથી તરફડીયા મારતા મોરને બચાવાયો.


માળીયામીયાણા,તા,૭:
માળીયામીંયાણાના ફતેપર ગામે ઝેરી અસરથી તરફડીયા મારતા રાષ્ટ્રીય પક્ષી મોરને આહીર પરિવારે બચાવ્યો હતો. ખેડુતો દ્વારા એરંડાના પાકમાં ઈયળોને મારવા માટે કરવામાં આવતા ઝેરી દવાના છંટકાવથી મુત્યુ પામેલ ઈયળોને ખાઈ જતાં માળીયા તાલુકામાં આઠ દિવસમાં એક મોરનું મૃત્યુ અને એકને નવજીવન મળ્યું છે.
  • ઝેરી દવાવાળી ઈયળો ખાતા એકનું મોત, એકને નવજીવન મળ્યું
તાલુકામાં ગત વર્ષે નહીવત વરસાદના કારણે એરંડાના પાકનુ વાવેતર ખેડુતો દ્વારા વધારે કરવામાં આવ્યું છે. એરંડાના પાકમાં ઈયળનું પ્રમાણ વધી જતાં પાકને બચાવવા ઝેરી દવાનો છંટકાવ કરવામાં આવતા ઈયળો મરી જાય છે. ત્યારે સવારે ખોરાકની શોધમાં નિકળતા મોર આ મૃત્યુ પામેલ ઈયળોને ખાઈ જતાં તેના શરીરમાં ઝેરી અસર ફેલાય છે. અને તરફડીયા મારવા લાગે છે.
આ બનાવ માળીયાના ફતેપરમાં રહેતા આહીર સાદુરભાઈ ભારમલભાઈ ઘરે હતા ત્યારે એક મોર ઉડતો ઉડતો આવી તેના ઘરના ફળીયમાં પડી ગયો અને તરફડીયા મારવા લાગતા ફોરેસ્ટ વિભાગ અને પશુ તબીબને બોલાવી તાત્કાલિક સારવાર કરાવી મોરને વધુ સારવાર અને દેખરેખ માટે વનવિભાગની નર્સરીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તંદુરસ્ત થાય ત્યાં સુધી સારવાર કરવામાં આવશે. તાલુકામાં આઠ દિવસમાં ત્રણ બનાવ બન્યા છે. જેમાં ખીરઈ ગામે ઝેરી અસરવાળા મોરનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ થયું હતુ. ફતેપરમાં સારવાર આપી બચાવી લેવામાં આવ્યો હતો.

No comments: