Thursday, January 31, 2013

ખાટકીવાસમાં ઘૂસી આવેલા દીપડાએ છ ઘેટાંબકરાનું મારણ કર્યું.


Bhaskar News, Dhari | Jan 20, 2013, 00:41AM IST
- અવારનવાર દીપડો શહેરમાં ચઢી આવતો હોવાથી લોકોમાં ફફડાટ

અમરેલી જિલ્લાભરમાં દીપડાનો ભયંકર ત્રાસ વધી રહ્યો છે. ક્યાંકને ક્યાંક માણસ પર હુમલાની ઘટના કે મારણની ઘટના બનતી રહે છે. ગઇરાત્રે એક દીપડો છેક ધારી શહેરમાં ચડી આવ્યો હતો. અને ધારીના ખાટકીવાસમાં એક ડેલામાં ઘુસી ચાર ઘેટા અને બે બકરાનુ મારણ કર્યું હતુ.

ધારી શહેરમાં અવારનવાર દીપડો ચડી આવતો હોય લોકોમાં ફફડાટ છે. હજુ એકાદ માસ પહેલા જ દીપડો પોલીસ લાઇનમાં ચડી આવ્યો હતો. ત્યાં આજે એક દીપડો છેક ધારીના ખાટકીવાસમાં ઘુસી ગયો હતો. વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ધારીના ખાટકીવાસમાં આવેલા યાસીનભાઇ કટારીયાના ડેલામાં દીપડો ત્રાટકયો હતો.

મધરાત્રે દીપડાએ અહી ડેલામાં ઘુસી ચાર ઘેટા અને બે બકરા મારી નાખ્યા હતા. અને ચુપકીદીથી મારણ કર્યું હતુ. સવારે તેઓ જ્યારે ડેલામાં પહોંચ્યા ત્યારે અહી દીપડાએ મારણ કર્યાની જાણ થઇ હતી. બનાવ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી ગયો હતો.

No comments: