Thursday, January 17, 2013

પક્ષીઓના મોત : બેદરકાર વનકર્મી સામે પગલાં લો.

પક્ષીઓના મોત : બેદરકાર વનકર્મી સામે પગલાં લો
Bhaskar News, Amreli, Vikter  |  Dec 29, 2012, 00:20AM IST
- વન વિભાગના સચીવને રજુઆત : વધુ ચાર કુંજના મૃતદેહ મળ્યા

રાજુલાના કથીરવદર અને વિકટરની સીમમાં પાછલા એક પખવાડીયાથી વિદેશી પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા નક્કર પગલા લેવાતા ન હોય જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી છે. તો બીજી તરફ આજે આ વિસ્તારમાં વધુ ચાર કુંજના મૃતદેહ મળી આવ્યા હતાં.

વિદેશી પક્ષીઓના મોત બાબતે ગુજરાત આરટીઆઇ એસો.ના અમરેલી જીલ્લા પ્રમુખ આતાભાઇ વાઘે વન વિભાગના અગ્ર સચીવે પત્ર લખી આ માટે જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે. તેમણે જણાવ્યુ છે કે કથીરવદર અને વિકટર ગામના બંધારામાં પાછલા એક પખવાડીયાથી યાયાવર પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. દાતરડી, વિસળીયા, કથીરવદર, મજાદર, વિકટર, જોલાપર, નીંગાળા, કડીયાળી, ભેરાઇ વગેરે ગામના લોકોએ આ બારામાં વારંવાર તંત્રનું ધ્યાન દોયું છે. પરંતુ વન વિભાગના જવાબદાર કર્મચારીઓ દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. આ અંગે તાકીદે આકરા પગલા લેવાની જરૂર છે.

બીજી તરફ આજે પણ કથીરવદરના બંધારા વિસ્તારમાં અને વિકટરના ખારામાંથી ચાર કુંજના મૃતદેહ મળી આવ્યા હતાં. આ ઉપરાંત બે બિમાર કુંજ પણ મળતા પ્રકૃતપિ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અહિં એક પછી એક પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે અને તંત્ર ભોપાલથી લેબોરેટરીનો રીપોર્ટ આવે તેની રાહમાં બેઠુ છે. જેને કારણે પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ છે. અહિંના પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ દિનેશભાઇ ગોસ્વામી દ્વારા આ બારામાં ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયુ છે.

- અત્યાર સુધીમાં ૬૨ પક્ષીનાં મોત

કથીરવદર તથા વિકટરના બંધારા અને ખારા વિસ્તારમાં પાછલા એક પખવાડીયા દરમીયાન ૫૭ કુંજના મૃતદેહ મળ્યા છે જ્યારે બાજના પાંચ મૃતદેહ મળ્યા હતાં. આમ ૬૨ મૃત પક્ષીઓ મળી આવ્યા છે. આ ઉપરાંત ૧૫થી વધારે બિમાર કુંજ પક્ષીઓ પણ મળતા તેને સારવાર માટે લઇ જવાયા છે.

No comments: