Thursday, January 17, 2013

અમરેલીમાં પતંગની દોરીએ પ૦થી વધુ પક્ષીઓને ઘાયલ કર્યા.


અમરેલીમાં પતંગની દોરીએ પ૦થી વધુ પક્ષીઓને ઘાયલ કર્યા

Dilip Raval, Amreli  |  Jan 15, 2013, 13:43PM IST- રાજુલામાં એક કુંજ પક્ષીનું મોત: વિવિધ મંડળોના યુવકો દ્વારા આખો દિવસ સેવા અપાઇ
અમરેલી સહિત જિલ્લામાં ઉતરાયણ પર્વ પર પતંગની દોરીઓથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા. રાજુલામાં ૨૧ ઉપરાંતના પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાંથી એક કુંજ પક્ષીનું મોત થયુ હતુ. તો બાબરામાં પણ વિવિધ મંડળોના યુવકો દ્વારા આખો દિવસ ઘાયલ થયેલા ૨પ થી ૩૦ પક્ષીઓને સારવાર આપી સેવા કરી હતી.
ઉતરાયણ પર્વની જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યુ હતુ. તો બીજી તરફ અનેક પક્ષીઓ પણ પતંગની દોરીઓથી ઘાયલ થયા હતા. રાજુલામાં સર્પ સંરક્ષણ મંડળના સભ્યો દ્વારા ઉતરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને બચાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રાજુલામાં ૨૧ ઉપરાંતના પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં ત્રણ સાઇબેરીયન, એક કુંજ, હડીયા નામના પક્ષીનો સમાવેશ થાય છે. એક કુંજનું મોત થયુ હતુ.
આવી જ રીતે બાબરામાં પણ રોકડીયા યુવક મંડળ, સદ્દભાવના ગ્રુપ સહિ&zથ્ખ્j;તના જુદાજુદા મંડળો દ્વારા ઉતરાયણના દિવસે ઘાયલ પક્ષીઓને બચાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રોકડીયા મંડળના ૧પ થી ૨૦ સભ્યો મોટર સાયકલો લઇને આખો દિવસ શહેરમાં ફર્યા હતા. અને ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી. શહેરના ધારપરા, ધુળીયા પ્લોટમાં વધુ પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ નજરે પડ્યા હતા જે તમામને સારવાર આપી ફરી આકાશમાં વહિરતા કરવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં કુલ પ૦ થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. ઇજા ગ્રસ્ત પક્ષીઓની તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: રાજુ બસીયા, બાબરા અને કનુભાઇ વરૂ, રાજુલા

No comments: