Thursday, January 17, 2013

આગામી ગિરનાર સ્પર્ધામાં દરેક ખેલાડીને વિમા કવચ પુરૂ પડાશે.

Bhaskar News, Junagadh | Jan 07, 2013, 00:29AM IST
- અતિકઠીન આરોહણ - અવરોહણ સ્પર્ધા જોખમી છે
ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા માત્ર કઠીન જ નહીં પરંતુ જોખમી પણ છે. ત્યારે આગામી સ્પર્ધામાં દરેક સ્પર્ધકનું વિમા કવચ પુરૂ પાડવામાં આવશે તેમ કલેક્ટર  મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું. જોમ, જૂસ્સો અને સાહસથી ભરેલી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દરેક સ્પર્ધક જીવસચોટની બાજી લગાવી દેતા હોય છે. માત્ર મિનિટોમાં સ્પર્ધા પૂર્ણ કરતા હોય છે.

 ભાગ લેનાર સ્પર્ધક ગિરનાર ઉતરતી વખતે જાણે હવામાં ઉડતા આવતા હોય તેમ જણાય છે. એક મિનિટમાં ૩૦૦ જેટલા પગથીયા સ્પર્ધક ઉતરી જતો હોય છે. નાની એવી ભૂલ પણ સ્પર્ધા માટે જીવનું જોખમ બની રહે તેમ છે. ત્યારે પ્રથમ વખત આ દિશામાં જિલ્લા કલેક્ટર મનિષ ભારદ્વાજે વિચાર કર્યો છે.

આજે ભવનાથનાં મંગલનાથ આશ્રમની જગ્યામાં યોજાયેલા ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનાં વજિેતઓને ઇનામ વિતરણ સમારોહમાં  કલેક્ટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ગિરનારની અતિ કઠીન  સ્પર્ધામાં દરેક સ્પર્ધકનું જીવનું જોખમ રહેલું છે. તેને ધ્યાને રાખી આગામી ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનાં દરેક સ્પર્ધકનો સ્પર્ધા દરમિયાન વિમા ઉતારવામાં આવશે.

No comments: