Tuesday, November 26, 2013

જંગલ નજીક આવેલી છગનમામા સોસાયટીમાં મગરનાં આંટાફેરા.

જંગલ નજીક આવેલી છગનમામા સોસાયટીમાં મગરનાં આંટાફેરા
Bhaskar News, Junagadh | Nov 24, 2013, 03:16AM IST- બે દિવસથી રાત્રીનાં મંદિર સુધી પહોંચી જતી હોઇ લોકોમાં ભય

ગિરનાર જંગલ નજીકની જૂનાગઢ શહેરની સોસાયટીઓમાં અવાર નવાર વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોય છે. ત્યારે ગિરનાર દરવાજા પાસે આવેલી છગનમામા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રીનાં સમયે મંદિર સુધી મગર આવી જતી હોઇ લોકોમાં ભય ફેલાયો છે. તેમજ મગરને જોવા સોસાયટીનાં લોકો એકઠા થઇ જાય છે.
જૂનાગઢનાં બીલખા રોડ પર આંબેડકનગરનાં વિસ્તારથી લઇને સાબલપુર સુધીનાં વિસ્તાર ગિરનાર જંગલને અડી ને આવેલો છે. તેમજ શહેરનાં દોલતપરા, ગિરનાર દરવાજા વિસ્તાર, ભવનાથ, ખાડીયાનો વિસ્તાર જંગલની તદ્ન નજીક આવેલા છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણી આવી ચઢતા હોવાનાં બનાવો અવારનવાર બનતા રહે છે. ખાસ કરીને કુતરા, ભૂંડનાં શિકાર માટે દીપડા આવ્યા હોવાનાં બનાવો અનેક વખત બન્યા છે. તેમજ ગિરનાર જંગલમાંથી નિકળતી નદીઓમાં મગરનો વસવાટ હોઇ મગર પણ દેખા દેતી હોય છે. ગિરનાર દરવાજા નજીક આવેલી છગનમામા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રીનાં મગર આવી ચઢે છે. આ મગર રાત્રિનાં મંદિર સુધી આવી જાય છે. જેને જોવા લોકોનાં ટોળાં એકઠા થઇ જાય છે. તેમજ રાત્રીનાં મગર આવતી હોઇ લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.

No comments: