Thursday, November 28, 2013

રાજુલાના વડની સીમમાં ન્યૂમોનિયાથી દિપડીનું મોત.

રાજુલાના વડની સીમમાં ન્યૂમોનિયાથી દિપડીનું મોત
Bhaskar News, Amreli | Nov 24, 2013, 02:56AM IST
દિપડીના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા
સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓની જાણે માઠી દશા બેઠી હોય તેમ ગઇકાલે ફીફાદમાં એક સિંહણનું કમોત થયા બાદ આજે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં એક સગર્ભા દિપડીનું ન્યૂમોનીયાના કારણે મોત થયુ હતું. આ દિપડીના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મોતને ભેટયા હતાં. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. દિપડીના મોતની આ ઘટના આજે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં બાબુભાઇ જીવણભાઇ વાળાના ખેતરમાં બની હતી.

અહિં ખેતરમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાનુ જણાતા તેમના દ્વારા વન વિસ્તરણ વિસ્તારના એસીએફ ભાવસારને જાણ કરવામાં આવી હતી. એસીએફની સુચનાને પગલે આરએફઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીના મૃતદેહને કબજે લઇ પોસ્ટ ર્મોટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.એસીએફ ભાવસારે જણાવ્યુ હતું કે મૃત્યુ પામનાર દિપડી આશરે ત્રણ વર્ષની ઉંમરની છે અને આ સગર્ભા દિપડીનું ન્યૂમોનીયાના કારણે મોત થયાનું પ્રાથમીક દ્રષ્ટિએ જણાય રહ્યુ છે. જો કે મોતનું સચોટ કારણ જાણવા જરૂરી નમુનાઓ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. પીએમ દરમીયાન દિપડીના પેટમાં ત્રણ બચ્ચા હોવાનું ખુલ્યુ હતું. આ ત્રણેય બચ્ચા પણ મૃત્યુ પામ્યા હતાં. દિપડીના મૃતદેહને ધારીના કેર સેન્ટરમાં અગ્નીદાહ અપાયો હતો. એકાદ દિવસ પહેલા મોતને ભેટેલી આ દિપડીના તમામ નખ સલામત મળ્યા હતાં.

No comments: