Friday, November 29, 2013

ઊના પંથકનાં સણોસરીમાં ત્રણ સાવજોએ કર્યા બે ગાયના શિકાર.

ઊના પંથકનાં સણોસરીમાં ત્રણ સાવજોએ કર્યા બે ગાયના શિકાર
Bhaskar News, Junagadh | Nov 29, 2013, 01:39AM IST
પરોઢીયે ગામમાં લટાર મારી નિરાંતે માણી મારણની મિજબાની : ગભરાટ

ઊનાનાં સણોસરીમાં પરોઢીયે ૩ સિંહોએ આવી ચઢી ગામમાં લટાર મારી બે ગાયોનાં શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણતાં લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો.
ઊના તાલુકો ગીરજંગલની નજીક હોવાથી વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચઢતા હોવાની ઘટનાં સામાન્ય બની છે. ત્યારે જંગલ બોર્ડરની નજીક આવેલ સણોસરી ગામમાં આજે પરોઢીયે ૩ સિંહોએ ર્મોનિ‌ગ વોકમાં નિકળી ગામમાં લટાર મારી બે ગાયોનો શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણી જંગલની વાટ પકડી હતી. પરોઢીયે ૩ સાવજોએ ડણકોથી ગામની ગલીઓ ગજવી દેતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે સવારે વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારી સહિ‌તનો કાફલો ગામમાં દોડી આવેલ અને સાવજોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી હતી.

No comments: