Thursday, November 28, 2013

લીલીયા: અગિયાર માસમાં છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો.

લીલીયા: અગિયાર માસમાં છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યોBhaskar News, Amreli   |  Nov 28, 2013, 01:03AM IST
- લીલીયા બૃહદગીર વિસ્તારમાં સિંહબાળનો ખીલખીલાટ
-
સિંહોનાં આ વસવાટ વાળા વિસ્તારને એકાદ દાયકાથી કાયમી રહેઠાણ બનાવ્યું છે
કલીલીયાના બૃહદગીર વિસ્તારમાં પાછલા એક દાયકા ઉપરાંતના સમયથી અહીના વિવિધ વિસ્તારોમાં સિંહ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. અહીના આંબા, ભેંસવડી, લોકી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા, શેત્રુંજી નદીના કાંઠાના ગામોમા મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ જોવા મળે છે. ત્યારે પાછલા અગિયારેક માસ દરમિયાન આ વિસ્તારમાં છ સિંહણોએ મળી કુલ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો છે. જેના લીધે બૃહદગીર વિસ્તાર સિંહબાળના ખીલખીલાટથી જાણે ગુંજી ઉઠયો છે.


ગીર જંગલમાં વસતા સાવજોએ લીલીયાના બૃહદગીર વિસ્તારને પાછલા એકાદ દાયકા ઉપરાંતના સમયથી પોતાનુ નવુ રહેઠાણ બનાવી લીધુ છે. આ વિસ્તારમાં હાલ ૪પ જેટલા સાવજ પરિવાર વસવાટ કરે છે. અહી ગીર જંગલમા ન વધે તેટલી વસ્તી વધી રહી છે. અહી પાછલા અગિયારેક માસમા છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો છે.
અહી વસવાટ કરતી રેડીયો કોલર સિંહણે જાન્યુઆરી માસમા બે સિંહબાળને જન્મ આપ્યો હતો. બાદમાં માર્ચમા ક્રાંકચમાં ખાટની ઓઢ વિસ્તારમાં રાતડી સિંહણે ચાર બચ્ચાને તેમજ ભુરી સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. મે માસમાં ચાંદગઢની સીમમાં વાંજણી સિંહણે બે બચ્ચાને જન્મ આપી વાંજીયામેણુ ભાંગ્યુ હતુ. ત્યારબાદ સપ્ટેમ્બર ઓકટોબર માસમા માકડી સિંહણે ક્રાંકચ ગાગડીયા નદીના કાંઠે ખોડીયારની ખાણ વિસ્તારમા સરેડામા ચાર બચ્ચા અને બાદમાં બે બચ્ચાને જન્મ આપ્યો હતો. અગિયાર માસમાં ૧૭ સિંહબાળ ખીલખીલાટ કરી રહ્યાં છે. વસ્તી વધતા પંથકમા સિંહપ્રેમીઓમા આનંદની લાગણી જોવા મળી રહી છે. હાલમાં સ્થાનિક આરએફઓ બી.પી.અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિ‌લ, બીપીનભાઇ ત્રિવેદી સહિ‌તનો સ્ટાફ આ સિંહબાળની સંભાળ લઇ રહ્યો છે.
દોઢેક માસ પહેલા જન્મેલા છ બચ્ચા પ્રથમ વખત દેખાયા
બૃહદગીર વિસ્તારમાં માકડી સિંહણે ચાર બચ્ચાને તેમજ ભોડી સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યા બાદ આ છ સિંહબાળ શેત્રુજી નદીના કાંઠે પ્રથમ વખત જોવા મળ્યાં હતા. આ વિસ્તારમાં સિંહબાળનો સતત ઉમેરો થતા સિંહપ્રેમીઓ ખુશખુશાલ જોવા
મળ્યા હતા.

No comments: