Tuesday, November 26, 2013

સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે.


Bhaskar News, Junagadh   |  Nov 21, 2013, 00:28AM IST

સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે
- સિંહોનાં સ્થળાંતર મુદ્દે છુપાછુપી નહીં
- ઉકળાટ : સિંહ સ્થળાંતરનાં કેસમાં સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારની રીવ્યુ પીટીશન ફગાવતા
-
રાજ્ય સરકાર સ્પષ્ટ લડાઈ લડે : ક્યુરેટીવ પિટીશન કરે : સિંહ પ્રેમીઓનો સૂર

એશીયાટીક લાયનનાં પ્રદેશ ગણાતાં સાસણ ગીરનાં સિંહો પૈકીનાં કેટલાકને મધ્યપ્રદેશનાં કુનો પાલપુરનાં અભ્યારણ્યમાં ખસેડવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટની બેન્ચે ગત તા. ૧પમી એપ્રિલે આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કરેલી રીવ્યુ પીટીશન તાજેતરમાં ફગાવી દેતાં ફરી સ્થળાંતરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જયારે સાવજોનાં સ્થળાંતર મુદ્દે રાજય સરકાર સ્પષ્ટ બની લડાઇ લડે અને કયુરેટીવ પીટીશન કરે તે તેવો સુર સિંહ પ્રેમીઓમાંથી ઉઠયો છે. અગાઉ પણ સ્થળાંતરનાં આદેશ પછી સૌરાષ્ટ્રનાં ગામે ગામ સિંહ પ્રેમીઓએ ઝુંબેશ ચલાવી હતી.

સુપ્રિમકોર્ટની બેન્ચે ૧પમી એપ્રિલે આદેશ આપતાંની સાથે જ રાજ્યભરમાં સાસણનાં સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતરનો મુદ્દો ગરમાયો હતો. અને સૌરાષ્ટ્રભરમાં તો આ અંગે વિવિધ નેચર કલબ, અગ્રણીઓ, પ્રકૃતિ વિદો, સહિ‌ત નાની-મોટી સંસ્થાઓએ સિંહ સાસણમાં જ રહે એ મુજબની રાજ્ય સરકાર રીવ્યુ પીટીશન કરે એવી બુલંદ માંગ પણ કરી હતી.
સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે
જોકે, ગુજરાત સરકારે કરેલી રીવ્યુ પીટીશન ફગાવી દેતાં આજે ફરી સોરઠ સહિ‌ત સૌરાષ્ટ્રભરમાં આ મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. પ્રકૃતિ નેચર કલબ કોડીનારનાં દિનેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે, ગુજરાતની એનજીઓ સહિ‌તની સંસ્થાઓએ પહેલેથી જ આ વાતને કેન્દ્રિ‌ત કરી ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીર બને તેવું કહેવાયું હતું. છતાં રાજ્ય સરકારે સિંહોના સ્થળાંતરનો મુદ્દો ગંભીરતાથી ન લેતા આ પરિણામ આવ્યું છે.
સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે
ગોસ્વામીએ એવું પણ જણાવ્યું છે કે, સિંહ એકલા સોરઠનાં કે સાસણનાં નથી. પણ આખા ગુજરાતનું આભૂષણ છે. ત્યારે પહેલેથી જ ગુજરાત સરકારે ખ્યાતનામ વકિલો રોકવામાં આળસ બતાવ્યું છે. બીજી બાજુ પર્યાવરણ બચાવ સમિતીનાં ચેરમેન રજાક બ્લોચે પણ આ મુદ્દે આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે સિંહો જવાના છે ત્યાંના ચૂંટણી પ્રચારમાં જ વનમંત્રી
સિંહો મધ્યપ્રદેશનાં કુ'નો પાલપુર અભ્યારણ્યમાં લઇ જવાનાં છે. ત્યારે રાજ્યનાં વનમંત્રી ગણપતભાઇ વસાવા હાલ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં પ્રચાર અર્થે ગયા છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજ્ય સરકારના પ્રયત્નનાં ગુણગાન ગાઈ તેઓએ કહ્યું હતું કે, અમે ક્યુરેટીવ પીટીશન કરવાનાં જ છીએ.

No comments: