Tuesday, November 26, 2013

સાસણ પાસે કાર ખાડામાં ખાબકતા રાજકોટની યુવતીનું મોત.


સાસણ પાસે કાર ખાડામાં ખાબકતા રાજકોટની યુવતીનું મોત
Bhaskar News, Junagadh | Nov 24, 2013, 03:23AM IST- ગીરમાં સિંહ દર્શન કરવા આંકોલવાડી આવેલા ટુરીસ્ટો સાથે અકસ્માત સર્જા‍યો
- ત્રણ યુવતીઓ અને બે યુવકો ઘાયલ


ગીરમાં સિંહદર્શન કરવા સાથે મોજ મસ્તીનો પોગ્રામ બનાવી આંકોલવાડી નજીક આવેલા ફાર્મ હાઉસમાં રોકાઇ રાજકોટ પરત જવા બે ગાડીમાં નીકળેલા ૧૪ યુવક-યુવતીઓનાં ગૃપની એક આઇ-ઝેડઓ કાર ફુલ સ્પીડમાં તાલાલા - સાસણ રોડ પર સાંગોદ્રા ફાટક પાસે કાર ટર્ન ન કાપી શકતા પુરઝડપે ખાડામાં ખાબકતા ચાર યુવતીઓ અને બે યુવકોમાંથી એક યુવતીનું ઘટના સ્થળે મોત થયેલ. ઘવાયેલા યુવતીઓને ૧૦૮માં તાલાલા સારવારમાં લાવવામાં આવેલ. જયારે કારમાં રહેલા બે યુવકોને ઇજા થઇ હોય છતાં સારવાર માટે જૂનાગઢ ખાનગી દવાખાનામાં દાખલ થયા હોવાનું જાણવા મળે છે. જોકે ખાનગી વાહનમાં ચાલ્યા જતા કયાં પ્રકારનાં સંબંધો ધરાવતુ ગૃપ સાથે ફરવા નિકળ્યું હતું. તેની તાલાલા હોસ્પિટલે ઉપસ્થિત લોકોમાં ભારે ચર્ચા થતી હતી.
અકસ્માતની જાણ થતા તાલાલાથી ૧૦૮નાં પાયલોટ રાજેન્દ્ર પટેલ, ડો. ભરતભાઇ વાઢેર ઘટના સ્થળે દોડી ગયેલ અને ૧૦૮માં ગંભીર ઇજા પામેલ રાજકોટની યુવતી ધ્રુવી બી.ટાંક (ઉ.વ.૨૧), હિ‌રવા દેવશીભાઇ નંદાણીયા અને કૃશાલી દેવદાનભાઇ હુંબલને તાલાલા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ. કારમાં રહેલા બે યુવકોને ઇજા થઇ હોય છતાં તાલાલા હોસ્પિટલે સારવારમાં આવવાનાં બદલે ખાનગી વાહનમાં બંને યુવકો જૂનાગઢ તરફ નીકળી ગયેલ. ગંભીર ઇજા પામેલ ધ્રુવી ટાંકને હોસ્પિટલમાં ફરજ ઉપરનાં ડો.કોડીયાતર, નર્સ મનીષાબેન, બાનુબેન અને ભરતભાઇ વાણીયાએ તાકીદે સારવાર આપી હતી. હિ‌રવા દેવશીભાઇ નંદાણીયા અને કૃશાલી દેવદાનભાઇ હુંબલને સામાન્ય ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં તાલાલા પાલિકાનાં ઉપપ્રમુખ અમીત ઉનડકટ, સેવાભાવી સંસ્થા શિવસેના ગૃપનાં યુવકો મદદ માટે હોસ્પિટલે દોડી ગયા હતાં.

કારમાં રહેલા યુવકોનાં યુવતીઓ નામ નહોતી આપતી
અકસ્માત બાદ ૧૦૮માં તાલાલા હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવેલ યુવતીઓમાં હિ‌રવા નંદાણીયા અને કૃશાલી હુંબલે તબીબ અને હે.કો. કિશોરભાઇ ચાવડાને કારમાં સાથે રહેલા બે યુવકો કોણ હતા તેના નામ કે વિગતો પુરી ન પાડતા અનેક ચર્ચાઓ થવા લાગી હતી કે કયા પ્રકારના સંબંધો ધરાવતા યુવક - યુવતીઓનું ગૃપ ફરવા આવેલ.

માહી ફાર્મમાં અગાઉ રાજકોટનો યુવાન ડુબ્યો હતો
આંકોલવાડી નજીક આવેલ માહી ફાર્મમાં મોટાભાગે રાજકોટનાં લોકો આવતા હોય થોડા સમય પહેલા રાજકોટથી ફરવા આવેલ ગૃપમાંથી એક યુવક અહિંયાનાં સ્વીમીંગ પુલમાં ડુબી જતા મોત થયું હતું. આ ફાર્મ હાઉસ સામાન્ય રીતે લોકોને ભાડે અપાતુ નથી. પરંતુ ફાર્મમાં સંબંધીત પરિચીત લોકો વધુ આવતા હોવાનું જાણવા મળે છે.

બીજી કાર અકસ્માત બાદ કયાં ગઇ
રાજકોટનાં ૧૪ લોકોનું ગૃપ મોટાભાગે બધા યુવક -યુવતીઓ હોય એક કારને અકસ્માત નડયો ત્યારે બીજી કારમાં બેસેલા લોકો કોણ હતા અને કાર કયાં ગઇ ? તે ચર્ચા તાલાલા હોસ્પિટલે ચર્ચાતી હતી.

આંકોલવાડી(ગીર) નજીક રાજકોટનાં એક વ્યકિતનું વાડલા - બામણાસા ગામ વચ્ચે આવેલ અને માહી ફાર્મમાં રાજકોટથી ૧૪ યુવક-યુવતીઓનું ગૃપ સિંહ દર્શન કરવા અને મોજ મજા કરવા આવેલ આજે સાંજે રાજકોટ પરત બે ગાડીમાં જતા હતા ત્યારે સાંગોદ્રા ફાટક પાસે આઇ-ઝેડઓ કાર નં.જીજે-૩-ઇઆર-૬૦૬૨ ફુલ સ્પીડમાં હોય ચાલક ટર્ન ન કાપી શકતા કાર પુરઝડપે રોડ ઉપરથી ફાટક પાસેનાં ખાડામાં ખાબકતા કારમાં સવાર શ્વેતાબેન પુરોહીત (ઉ.વ.૨૨)નું ઘટના સ્થળે મોત થયેલ.

No comments: