Thursday, November 28, 2013

સિંહણને ફાંસો આપી હત્યા બાદ લાશ કૂવામાં નાખી દેવાઇ.

સિંહણને ફાંસો આપી હત્યા બાદ લાશ કૂવામાં નાખી દેવાઇ
Bhaskar News, Amreli, Sawarkundla | Nov 23, 2013, 04:02AM IST
- સાવરકુંડલાના ફીફાદ ગામની સીમમાં મૃતદેહ મળ્યો

સૌરાષ્ટ્રની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષા કરવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યુ છે. જેને પગલે સાવજોના કમોતની ઘટનાઓ વધી રહી છે. સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામની સીમમાં ફાંસામાં ફસાઇ જતા એક સિંહણનું મોત થયા બાદ અજાણ્યા શખ્સો તેને વાડીના કુવામાં નાખી ગયાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. આજે ગળામાં ફાંસા સાથે આ સિંહણનો મૃતદેહ કુવામાં તરતો મળી આવ્યો હતો.
અહિં શેત્રુજી નદીના કાંઠે રાજકોટના ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામાંથી ગળામાં ફાંસલા સાથે એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે છ વર્ષની ઉંમરની આ સિંહણના મૃતદેહને કોઇ અજાણ્યા શખ્સો અહિં વાડીના કુવામાં ફેંકી ગયા હતાં. હાલમાં ખેતીની સિઝન ચાલુ છે ત્યારે કેટલાક ખેડૂતો કાયદાનો ભંગ કરી પશુઓથી પાકના રક્ષણ માટે ફાંસા ગોઠવે છે. ત્યારે આવા જ એક ફાંસામાં આ સિંહણનું ગળુ ફસાઇ ગયુ હતું. ફાંસલામાંથી બહાર નિકળવા સિંહણે ધમપછાડા કરતા તેની આંખો અને જીભ પણ બહાર નિકળી ગઇ હતી અને સ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત થયુ હતું.

No comments: