Thursday, November 28, 2013

સાવજો પંચાળના પાદરમાં, ચરખાની સીમમાં વાછરડીનું મારણ.


સાવજો પંચાળના પાદરમાં, ચરખાની સીમમાં વાછરડીનું મારણ
Bhaskar News, Amreli | Nov 20, 2013, 01:21AM IST
- નવા વિસ્તારોની શોધમાં નિકળેલા બે સાવજોના બાબરા પંથકમાં ધામા

ગીર જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો નવા નવા વિસ્તારોમાં પગ પેસારો કરી રહ્યા છે ત્યારે ગઇકાલે બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં એક સાવજ દેખાયા બાદ મોડી રાત્રે અહિં ગામના પાદરમાં બે સાવજો દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યુ છે. આ વિસ્તારમાં પ્રથમ વખત સાવજો દેખાયા છે. જેને પગલે ખેડૂતોમાં ફફડાટ છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા સાવજોના સગડ મેળવવા માટે દોડધામ શરૂ કરાઇ છે.


ગીર જંગલના સાવજો છેક હવે પંચાળ પ્રદેશના પાદર સુધી પહોંચ્યા છે. સાવજોની જેમ જેમ વસતી વધતી જાય છે તેમ તેમ તેના વસવાટ માટે નવા નવા પ્રદેશોની જરૂર પડી રહી છે. આ સાવજો પોતાની જાતે જ પોતાના નવા રહેણાંકો શોધી લે છે. હાલમાં કેટલાક સાવજો નવા પ્રદેશની શોધમાં લટાર મારવા નિકળી પડયા છે. આ સાવજો થોડાક સમય પહેલા વડીયા અને ગોંડલ પંથકમાં નઝરે પડયા હતાં. હાલમાં તેમનો બાબરા પંથકમાં પડાવ છે. ગઇકાલે બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં નઝરે પડયા હતાં.

દરમીયાન ગઇરાત્રે બે સાવજોએ ચરખાના પાદરમાં હાઇસ્કૂલની પાછળના ભાગે બે સાવજોએ એક વાછરડીનું મારણ કર્યુ હતું અને બાદમાં ભરપેટ ભોજન લીધુ હતું. સવારે આ વાછરડીના અવશેષો હાઇસ્કૂલની પાછળ પડયા હતાં. જાણ થતા આ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હાલમાં ખેતીની સિઝન ચાલુ હોય અને સાવજો આ વિસ્તારમાં પ્રથમ વખત દેખાયા હોય ખેડૂતોમાં ચિંતા છે. બીજી બાજુ બનાવની જાણ થતા વન વિભાગના આર.વી. ચાવડા, પી.આર. મોરડીયા, ક્રિપાલસિંહ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિંથી બે સાવજોના પગના સગડ મળ્યા હતાં. આ વિસ્તારમાં કપાસનું વાવેતર વધારે હોય અને હાલમાં કપાસનો પાક ઉંચો હોય સાવજોની વન વિભાગને ભાળ મળી ન હતી.

No comments: