Tuesday, November 26, 2013

પરિક્રમા બાદ જૂનાગઢ શહેર પ્રવાસીઓથી ઉભરાયું, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.

પરિક્રમા બાદ જૂનાગઢ શહેર પ્રવાસીઓથી ઉભરાયું, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

Bhaskar News, Junagadh   |  Nov 18, 2013, 00:47AM IST
- ઠેર-ઠેરથી આવતા ભાવિકો શહેરનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નથી
- સક્કરબાગ, મ્યુઝિયમ, ઉપરકોટ પરિક્રમાર્થીઓથી ઉભરાયા

ચાલુ વર્ષ ગિરનારની લીલી પરિક્રમામાં ૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. આ ભાવિકોએ ૩૬ કિ.મી.ની પરિક્રમા પૂર્ણ કરી શહેરનાં સક્કરબાગ ઝુ, મ્યુઝિયમ, ઉપરકોટ સહિ‌તનાં ફરવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી.
ગરવા ગિરનારની પરિક્રમા ગત બુધવારથી શરૂ થઇ હતી. એ પૂર્ર્વે પોણા બે લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. આજ દિન સુધીમાં લાખો ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ શહેરમાં આવેલા સક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ, દાતાર પર્વત, ગિરનાર સહિ‌તનાં સ્થળોએ ઉમટયા હોય શહેરનાં માર્ગો પર ચિક્કાર ભીડ જોવા મળી હતી. સક્કરબાગ અને મ્યુઝિયમમાં તો રીતસર લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ શહેરમાં ઉમટી પડતા ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં તડાકો બોલ્યો હતો.

No comments: