Wednesday, April 30, 2014

આ મતદાન કેન્દ્રમાં ઝિરો ટકા કે પછી સીધું જ 100 ટકા થાય છે મતદાન!

આ મતદાન કેન્દ્રમાં ઝિરો ટકા કે પછી સીધું જ 100 ટકા થાય છે મતદાન!
divyabhaskar.com | Apr 30, 2014, 00:16AM IST
આ મતદાન કેન્દ્ર આખા દેશમાં બધાથી સાવ લગ જ પડે છે. અહીં ઝીરો ટકા મતદાન થાય છે અથવા તો સીધું જ 100 ટકા મતદાન થાય છે. માત્ર એક જ મતદાર માટે એક આખું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવે છે. દેશના 9,30,000  મતદાનમથકોમાં એક માત્ર મતદાર ધરાવતું બાણેજ ભારતનું એકમાત્ર અજોડ મતક્ષેત્ર છે. બાણેજ જૂનાગઢ જિલ્લાના ઊના મતવિસ્તાર હેઠળ આવે છે. આવતીકાલે પાંચ ચૂંટણી અધિકારી અને બે સુરક્ષાકર્મીઓ ત્યાં ભરતદાસને મતદાન કરાવવા જશે. 2004ની લોકસભાની ચૂંટણીથી આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જગ્યા એક પર્વતની તળેટીમાં આવેલી છે. એ પર્વતનો આકાર ભગવાન શંકરના બાણ જેવો છે, એટલે તેનું નામ બાણગંગેશ્વર પડયું. અહીંના મહંત ભરતદાસ આ વિસ્તારના એક માત્ર મતદાર છે.

પૂર્વ ગીરમાં આવેલું બાણેજ તુલસીશ્યામથી ૩૫, ધારીથી ૪૫, વિસાવદરથી ૫૦, કનકાઈથી ૨૦ જામવાળાથી ૨૪ અને જૂનાગઢથી સોએક કિલોમીટર દૂર આવેલું છે.બાણેજ ગાઢ જંગલ અને હિંસક સજીવો વચ્ચે આવેલું હોવાથી સાંજે સાડા ચાર પછી આઠ કિલોમીટર દૂર આવેલી એક ચેક પોસ્ટ પરથી રસ્તો બંધ કરી દેવામાં આવે છે. એ રીતે બાણેજ પ્રવાસીઓને રાત રોકાવવાની છૂટ નથી. અંદર જતાં પ્રવાસીઓ સાંજે સાડા સાત પહેલાં ગેટની બહાર નીકળી જાય એવો વનખાતાનો નિયમ છે.
બાણેજમાં બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે. જયાંથી ગંગાનું પાણી વહેવાનું શરૂ થયું હતું એ જગ્યાએ મંદિર પણ છે. મંદિર આગળ એક નદી વહે છે. મંદિર પરિસરમાં આવતા ભકતો-વનપ્રેમીઓ માટે ચા-પાણી, જમવાની વ્યવસ્થા મફતમાં ચાલુ હોય છે. ૨૫૦ લોકોને ઉતારો આપી શકાય તેવી બધી વ્યવસ્થા અહીં છે. મૂળ રાજસ્થાનથી આવેલા ભરતદાસ છેલ્લાં એકાદ દાયકા ઉપરાંતથી અહીંના મહંત છે.
આ મતદાન કેન્દ્રમાં ઝિરો ટકા કે પછી સીધું જ 100 ટકા થાય છે મતદાન!

દેશની સરકારી સસ્ટિમથી જોકે ભરતદાસ ખુશ નથી. નેતાઓની ઝાટકણી કાઢતાં ભરતદાસ કહે છે, ‘મારો એક મત લોકશાહીમાં કિમતી છે, પણ આપણા નપાવટ નેતાઓએ દેશમાં લોકશાહી જેવું કશું રહેવા દીધું નથી. ગુંડાઓ ચૂંટાય છે, એ કેવી લોકશાહી?’ અહીં ભરતદાસ ઉપરાંત તેનો ડ્રાઈવર, રસોઈયા સહિત પાંચેક વ્યકિતઓ છે, પણ તેઓ અહીંના મતદાર નથી.
રેડિયો દ્વારા ભરતદાસ દેશ-દુનિયામાં બનતી ઘટનાઓની જાણકારી રાખે છે. દેશમાં શું સ્થિતિ છે, તેની ઝીણામાં ઝીણી વિગત ભરતદાસને ખબર છે. ગુજરાતી-હિન્દી-અંગ્રેજી, ત્રણેયનું મિશ્રણ કરી વાત કરતાં તેઓ કહે છે, ‘આપણા લીડરોને જૂતાં માર્યા તેના બદલે જાહેરમાં બોલાવી તેની ધોલાઈ કરવી જોઈએ. પ્રોબ્લેમ પબ્લિક કા હૈ, પબ્લિક ચૂપ બૈઠી હૈ, એટલે કોનો વાંક કાઢવો?’
ભગવા ઝભ્ભાનાં ખુલ્લાં બટન સાથે સનગ્લાસ પહેરીને ફરતાં ભરતદાસ જંગલખાતાના જડ કાયદાઓથી ખાસ્સા નારાજ છે. ભરતદાસ પોતે ટાટા સફારીમાં ફરે છે. તેમનો આક્ષેપ એવો છે, કે આ વિસ્તારમાં પ્રવાસીઓ ઓછા આવે તે માટે જાણી જોઈને બાણેજનો વિકાસ કરવામાં આવતો નથી. વધુ દલીલ કરતાં તેઓ કહે છે, ‘કોઈ જંગલમાં રાતે ઝડપાય તો તેને ગમે તે સજા કરો પણ અહીં જગ્યામાં રાત રહેવાની મનાઈ શા માટે? અહીં વર્ષોથી કોઈ દુઘર્ટના બની નથી. ચોર-ડાકુ આવતા નથી. કોઈ જનાવરે જગ્યામાં હુમલો કર્યોહોય એવો બનાવ નોંધાયો નથી. તો પછી શા માટે ભકતોને અહીં રાત રોકાવવાની મનાઈ કરવામાં આવે છે?

No comments: