Friday, April 25, 2014

મોટા બારમણ ગામમાંથી 6 થી 7 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો!

મોટા બારમણ ગામમાંથી 6 થી 7 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો!
Hirendrasinh Rathod, Khambha | Apr 11, 2014, 17:43PM IST
આજે ભરબપોરે ખાંભાના મોટા બારમણ ગામેથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. થોડીવારમાં વાત વાયુવેગે પ્રસરી જતા મૃતક દીપડાને જોવા માટે લોકો એકઠા થઇ ગયા હતા. લોકોમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ દીપડાનો શિકાર થયો છે કે પછી કોઈ હિંસક પ્રાણીના હુમલાથી તેનું મોત થયું છે. જે પણ હોય પરંતુ ગામના લોકો દીપડાની હલચલથી ડર મેહસૂસ કરી રહ્યા છે તે નોંધનીય બાબત છે. આગળ ક્લિક કરો અને જુઓ મૃતક દીપડાની કેટલીક તસવીરો...
 
ઘટનાની વિગતો એવી છે કે ખાંભાના મોટા બારમણ ગામે પીલ્યાબાપુ ભોણ વિસ્તારમાં ગોચરના સર્વે નંબર, 175માં 6 થી 7 વર્ષનો નર દિપડાનો મૃતદેહ મળતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પોહચી ગયા હતા, આ દીપડાના મૃતદેહને જસાધાર ખાતે પી.એમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે વનવિભાગના અધિકારીઓ દોડતા થયા છે. 
 
આ બાબતે વનકર્મીઓની લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે, જયારે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કોઈ જંગલી પ્રાણીનું મોત થાય તો જંગલખાતાના અધિકારીઓ તેમની ઉપર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે, પરંતુ જયારે વનકર્મીની લાપરવાહીના કારણે વન્ય પ્રાણીના મોત થાય તો તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈપણ બહાનું બતાવી ફાઈલ બનાવી ધૂળ ખાવા મૂકી દેવામાં આવે છે ત્યારે આવા લાપરવાહી દાખવતા વનકર્મી વિરુદ્ધ પણ પગલાં લેવા જરૂરી બન્યા છે તેવું લોકોનું માનવું છે. 
 
(તસવીરો : હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

No comments: