Wednesday, April 30, 2014

ઝેરી પાણી પીતા 52 બકરાંના મોત, જોવા ગામના લોકો દોડ્યા.

Bhaskar News, Babra | Apr 29, 2014, 00:35AM IST
ઝેરી પાણી પીતા 52 બકરાંના મોત, જોવા ગામના લોકો દોડ્યા
ઝેરી પાણી પી જતા પ૨ બકરાનાં મોત
- વાડીમાં પાણીની કુંડીમાં ઝેરી ખાતરનાં મોટા ગાંગડા ઓગાળેલ હતા
-
ધરાઇની સીમમાં બનેલી ઘટનાથી ગ્રામજનો દોડી ગયા

બાબરા તાલુકાના ધરાઇ ગામે આવેલ એક વાડીમા કુંડીમા ઝેરી પાણી ભરેલુ હોય ગામમા જ રહેતા ત્રણ માલધારીના પ૨ બકરા આ પાણી પી જતા મોતને ભેટયા હતા. ઘટનાની જાણ થતા અહી લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત પોલીસ પણ અહી દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકસાથે પ૨ બકરાના મોતની આ ઘટના બાબરા તાલુકાના ધરાઇ ગામે બની હતી.

અહી મંદિરવાળા માર્ગની સીમમાં જસમતભાઇની વાડી આવેલી છે. તેઓ દ્વારા વાડીમા કુંડીમા ઝેરી ખાતરના મોટા ગાંગડા ઓગાળવા માટે નાખવામા આવ્યા હતા. આ દરમિયાન તેની વાડીમા ગામમા જ રહેતા માલધારી નાગજીભાઇ કડવાભાઇ, ગાંગાભાઇ વજાભાઇ અને ખોડાભાઇ વિહાભાઇના બકરા ચરતા ચરતા અહી કુંડીમા પાણી પીધુ હતુ. બકરાઓએ પાણી પીતા જ એક પછી એક ટપોટપ મોતને ભેટયા હતા. ઘટનાની જાણ થતા અહી મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા.

ઝેરી પાણી પીતા 52 બકરાંના મોત, જોવા ગામના લોકો દોડ્યા
આ ઉપરાંત માલધારી સમાજના આગેવાનો પણ અહી દોડી આવ્યા હતા. આ અંગે બાબરા પોલીસને જાણ કરવામા આવતા એમ.એમ.ગોસાઇ, જમાદાર ભગવતસિંહ સહિ‌ત અહી દોડી આવ્યા હતા. ઝેરી પાણી પીવાથી નાગજીભાઇના ત્રીસ બકરા, ગાંગાભાઇના બાર બકરા અને ખોડાભાઇના દસ બકરા મળી કુલ પ૨ બકરા મોતને ભેટયા હતા. તો આ ઝેરી પાણી પીવાથી એક શ્વાનનુ પણ મોત નિપજયુ હતુ.

બકરાના મોત નિપજતા પ્રથમ સમાધાન કરવા વાતચીત થઇ હતી બાદમા વાડી માલિકને મોટી રકમ લાગતા આખરે મામલો પોલીસમા ગયો હતો અને નાગજીભાઇએ બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પશુ ડોકટરને જાણ કરી હતી. બાદમા પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ જાણવા મળશે.

No comments: