Friday, April 25, 2014

ઇંગોરાળામાં ૪ મજૂરો પર ઝેરી મધમાખીનો હુમલો.

ઇંગોરાળામાં ૪ મજૂરો પર ઝેરી મધમાખીનો હુમલો
Bhaskar News, Khmbha | Apr 15, 2014, 03:34AM IST
ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી ખાંભા દવાખાને ખસેડાયા

ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે આવેલ એક વાડીમા જુવાર વાઢવાનુ કામ કરી રહેલા બાર મજુરો પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તમામને ઇજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી તાકિદે સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યા હતા. ઝેરી મધમાખીના હુમલાની આ ઘટના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે બની હતી. અહી કનુભાઇ પોપટભાઇ પાનેલીયાની વાડીમાં આજે સવારથી જુવાર વાઢવાનુ કામ ચાલી રહ્યું હતુ. અહી દાઢીયાળી ગામેથી બાર મજુરો બોલાવવામા આવ્યા હતા. અને તમામ મજુરો પોતપોતાની રીતે જુવાર વાઢવાનુ કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક એક ઝેરી મધમાખીનુ ઝુંડ ઉડીને આવ્યુ હતુ. મધમાખીના ઝુંડે તમામને ડંખ દેવા લાગતા થોડીવાર માટે વાડીમા અફડાતફડી મચી ગઇ હતી.

કોણ કોને બચાવે તેવી સ્થિતિનુ નિર્માણ અહી થયુ હતુ. ઝેરી મધમાખીથી બચવા કેટલાક મજુરો ઘઉના કુવળમા કે કોઇ બાજુમા શેઢે આવેલી કાંટાળી વાડમા તો કોઇ કુવામા પણ ઉતરી ગયુ હતુ. વાડી માલિક દ્વારા તાકિદે દવા છાંટવાના પંપથી ઝેરી મધમાખીઓ પર છંટકાવ કરવામા આવ્યો હતો.અહી કામ કરી રહેલા કૈલાશબેન જયસુખભાઇ, શોભાબેન કેશુભાઇ, હેતલબેન મનસુખભાઇ, ચકુબેન શંભુભાઇ, સંગીતાબેન જયસુખભાઇ, કાજલબેન શંભુભાઇ, ભરતભાઇને મધમાખીઓએ ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. બાદમાં ૧૦૮ને જાણ કરવામા આવી હતી. તમામને ઉલ્ટીઓ શરૂ થવા લાગી હતી. ઇજા પામેલ તમામને ખાંભા સરકારી દવાખાને ખસેડવામા આવ્યા હતા.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-honey-bee-attack-on-labour-4581502-NOR.html

No comments: