Friday, April 25, 2014

જૂનાગઢ: ૧૮ વર્ષના અપંગ સિંહનું સક્કરબાગમાં મોત.

જૂનાગઢ: ૧૮ વર્ષના અપંગ સિંહનું સક્કરબાગમાં મોત
Bhaskar News, Junagadh | Apr 24, 2014, 02:21AM IST
- છેલ્લા એક માસથી બીમાર હતો : ૧૦ વર્ષ પહેલાં ડેડકડી રેન્જમાંથી લાવવામાં આવ્યો હતો

જૂનાગઢનાં સક્કર બાગ ઝૂમાં ગઇકાલે એક વૃદ્ધ સિંહનું એક માસની બિમારી બાદ મૃત્યુ થયું હતું. આ સિંહને દસ વર્ષ પહેલાં ડેડકડી રેન્જમાંથી લાવવામાં આવ્યો હતો. તેને બચાવ્યા બાદ છેલ્લા દસ વર્ષથી તે કાયમી અપંગ બની ગયો હતો. આ સિંહે બે સિંહણો થકી સાત બચ્ચાંને જન્મ આપ્યો છે.

સક્કર બાગ ઝૂનાં ડાયરેક્ટર ડીએફઓ વી. જે. રાણાએ જણાવ્યું હતું કે, સક્કર બાગ ઝૂમાં રાખવામાં આવેલા સુરજીત નામના સિંહનું ગઇકાલે મૃત્યુ થયું હતું. આ સિંહ ૧૮ વર્ષની વયનો હતો. અને તેના મોતનું મુખ્ય કારણ વૃદ્ધત્વ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સિંહને ૧૦ વર્ષ પહેલાં તા. ૧૮ મે ૨૦૦૪ નાં રોજ ગિર પ‌શ્ચિ‌મની ડેડકડી રેન્જમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એ વખતે તેની વય ૮ વર્ષની હતી. રેસ્ક્યુનાં દિવસથી જ તે કાયમી અપંગ બની ગયો હતો. છેલ્લા એક માસથી તેને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં બે સિંહણો થકી ૭ બચ્ચાંને જન્મ આપ્યો હતો. સિંહનાં મૃતદેહનો ઝૂ ખાતેજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-death-in-sakkar-baug-4591163-NOR.html

No comments: