Friday, April 25, 2014

ક્રાંકચની સીમમાં સતત બીજા દિવસે પણ દવ સળગતો રહ્યો.

ક્રાંકચની સીમમાં સતત બીજા દિવસે પણ દવ સળગતો રહ્યો
Bhaskar News, Lilia | Apr 25, 2014, 00:36AM IST
-દવ પર કાબુનો વનતંત્રનો રાતનો દાવો ખોખલો સાબિત થયો

લીલીયાના ક્રાંકચની સીમમા ગઇકાલે સાતસો વિઘા વિસ્તારમા દવ લાગ્યા બાદ આજે આ દવ વિસ્તરીને ખાલપરના આરા વિસ્તારમા લાગ્યો હતો. વનતંત્ર દવ પર સંપુર્ણ કાબુ મેળવી શકતુ ન હોય અગાઉ પણ બે દિવસ સુધી દવ લંબાયો હતો.

ગઇકાલે લીલીયા પંથકમા ક્રાંકચ, જુનાસાવરની સીમમા અચાનક દવ ભભુકી ઉઠયો હતો. વનતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને દવ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. રાત્રે વનતંત્રએ દાવો કર્યો હતો કે દવ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ આ દાવો ખોખલો સાબિત થયો હતો.

આજે સવારથી જ ક્રાંકચ નજીક ખાલપરના આરા વિસ્તારમા ભિષણ દવ નજરે પડયો હતો. અહી બાવળની કાટ અને ઘાસ બળીને રાખ થઇ ગયુ હતુ. અને વન્યસૃષ્ટિને ખાસ્સુ નુકશાન થયુ હતુ. જો કે આજે તો વનતંત્ર આ દવને કાબુમા લેવા નિષ્ફળ રહ્યુ હતુ. પાછલા દિવસોમા અહી દવની જુદીજુદી પાંચ ઘટના બની હતી જેમા આઠ હજાર વિઘાથી વધુ વિસ્તારમા વન્યસૃષ્ટિ નાશ પામી હતી.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-forest-4592162-NOR.html

No comments: