Friday, April 25, 2014

રાજુલામાં વીજ વાયર તૂટી પડતા ગીર ગાયનું મોત નિપજયું.

રાજુલામાં વીજ વાયર તૂટી પડતા ગીર ગાયનું મોત નિપજયું
Bhaskar News, Amreli | Apr 15, 2014, 01:53AM IST
આઠ દિવસ પહેલા વાયર બદલવા થયેલી રજુઆત તંત્રએ ધ્યાને લીધી ન હતી

રાજુલામાં વિજ કંપનીની ઘોર બેદરકારીના કારણે આજે વિજ વાયર તુટી પડતા એક ગીર ગાયનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. સ્થાનીક લોકોએ અહિંના વાયર બદલવાની માંગણી કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા આ ઘટના બની હતી. રાજુલામાં હજુ પણ અનેક વિસ્તારમાં લટકતા જર્જરીત વિજ વાયરો જોખમી બની રહ્યા છે. આજે અહિંની લીંડકીયા શેરીમાં અચાનક જ એક વિજ વાયર તુટી પડયો હતો. અહિંના કનુભાઇ નનાભાઇ કવાડની માલીકીની ગીર ગાય પર આ વિજ વાયર તુટી પડતા ગીર ગાયનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. અહિંના મધુરભાઇ બલદાણીયાએ હજુ થોડા દિવસ પહેલા જ પીજીવીસીએલમાં લેખીત રજુઆત કરી જર્જરીત વિજ વાયરો બદલવાની માંગણી કરી હતી. પરંતુ વિજ અધિકારીઓએ આ વાયરો બદલવાની કામગીરી કરી ન હતી.

જે તે વખતે વિજ અધિકારીઓએ આ કામ નગરપાલીકાનું છે તેમ કહી મામલો ટાળી દીધો હતો. પરંતુ આજની ઘટના બાદ તુરંત વિજ અધિકારીઓ દોડી આવ્યા હતાં. લોકોમાં એ મુદે રોષ જોવા મળ્યો હતો કે ચેકીંગ કરવુ હોય તો પ૦ થી વધુ ગાડીઓ મસમોટા સ્ટાફ સાથે દોડી આવે છે. પરંતુ લોકોના જીવ ઉપર જોખમ ઝળુંબી રહ્યુ છે તેવા સમયે પણ તંત્ર દ્વારા ધ્યાન અપાતુ ન હોય લોકોમાં રોષ છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-cow-deth-for-electric-sock-4581371-NOR.html

No comments: