Wednesday, April 30, 2014

તોફાની તત્વોની ટિખળ, સિંહને મારણ ન કરવા દઈ પાછળ વાહન દોડાવ્યા.

તોફાની તત્વોની ટિખળ, સિંહને મારણ ન કરવા દઈ પાછળ વાહન દોડાવ્યા
Bhaskar News, Khambha | Apr 30, 2014, 01:55AM IST
- ટીખળ ખોરોએ સિંહ પાછળ વાહનો દોડાવ્યા ?
- ભાડ ગામે ગઇકાલે રાત્રે જંગલમાંથી બે ડાલામથ્થા ગામમાં ચઢી આવ્યા હતા
-
મારણ ન કરવા દઇ કાંકરીચાળો કરી હેરાન પરેશાન કર્યા હોવાનું જાણવા મળ્યું

ખાંભા તાલુકાના ભાડ ગામે ગઇકાલે રાત્રીના જંગલમાથી બે ડાલમથ્થા સાવજો ગામમા ચડી આવ્યા હતા. ખોરાકની શોધમા નીકળેલા આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. સાવજો દ્વારા મારણ કરવામા આવ્યુ હોવાની સિંહપ્રેમીઓને જાણ થતા જ અહી મોટર સાયકલ તેમજ ફોરવ્હીલ લઇ અહી લોકો સિંહ દર્શન માટે દોડી આવ્યા હતા. જેમાથી કેટલાક ટીખળીખોરોએ સાવજોને મારણ ન કરવા દઇ કાંકરીચાળો કરી હેરાન પરેશાન કર્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

હાલમા રેવન્યુ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો દ્વારા મારણની ઘટના બનતા જ સિંહપ્રેમીઓ સિંહદર્શન માટે દોડી જાય છે. આવી જ એક ઘટના ખાંભા તાલુકાના ભાડ ગામે બની હતી. અહી ગઇકાલે મોડીરાત્રીના બે ડાલામથ્થા સાવજો છેક ગામ સુધી ચડી આવ્યા હતા. ભુખ્યા થયેલા આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. મારણની જાણ આસપાસના વિસ્તારોમા થતાની સાથે જ અહી લોકો મોટર સાયકલ અને ફોરવ્હીલમા સિંહ દર્શન માટે અહી દોડી આવ્યા હતા.
હજુ તો સાવજોએ મારણ કર્યુ જ હોય અહી મોટી સંખ્યામા લોકો એકઠા થઇ ગયા હતા. કેટલાક ટીખળીખોરોએ સાવજોને હેરાન કરવાનુ શરૂ કર્યુ હતુ. કેટલાક લોકોએ સાવજો પાછળ બાઇક અને ફોરવ્હીલ પણ દોડાવ્યુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. બાદમાં વનવિભાગને જાણ થઇ હતી પરંતુ સ્ટાફ મોડેમોડે અહી પહોંચ્યો હોવાનુ કહેવાય રહ્યું છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે ભાડા ગામે સાવજો દ્વારા મારણની ઘટના બનતા મને ફોન મારફત જાણ થઇ હતી જેને પગલે તુરત સ્ટાફને રવાના કરવામા આવ્યો હતો. તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે કોઇ ટીખળીખોરોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હોવાનુ ધ્યાનમા આવશે તો તેની સામે કડક પગલા લેવામા આવશે.

No comments: