Monday, July 31, 2017

સોસાયટીમાં પાંજરૂ મુકાયું, દીપડો પકડાતો નથી

Bhasakr News, Junagadh | 2017-07-28T04:04:00+00:00
છેલ્લા 22 દિવસથી વનખાતાને ચાલક દીપડો હંફાવે છે
સોસાયટીમાં પાંજરૂ મુકાયું, દીપડો પકડાતો નથી
સોસાયટીમાં પાંજરૂ મુકાયું, દીપડો પકડાતો નથી
વેરાવળ: પ્રભાસપાટણ માં સોમનાથ કર્મચારી સોસાયટીમાં છેલ્લા 22 દિવસથી દીપડાનાં આંટાફેરા વધ્યા હોય એક વાછરડીનું પણ મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા બકરાનાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવી દીધુ હોવા છતાં વનખાતાનાં સ્ટાફને આ ચાલાક દીપડો હંફાવતો હોય એમ પાંજરે પુરાતો નથી. હાલ શ્રાવણમાસમાં ભાવિકોનો ઘસારો રહેતો હોય તેમજ ટ્રસ્ટનાં ગેસ્ટહાઉસમાં નોકરી કરતાં કર્મીઓ પણ અહિંયા રહેતા હોય અવર-જવરમાં સતત ડર અનુભવી રહયાં છે.

No comments: