Monday, July 31, 2017

તંત્રએ સિંહોને સલામત સ્થળે ખસેડ્યા

DivyaBhaskar News Network | 2017-07-23T02:35:03+00:00
લાઠીતાલુકાના લુવારીયા કૃષ્ણગઢ ગામની સીમમા ગાગડીયા અને જમકુડી નદીના પાણી બંને તરફ ફરી વળતા એક ટીલા પર ગઇકાલે ત્રણ...
તંત્રએ સિંહોને સલામત સ્થળે ખસેડ્યા
લાઠીતાલુકાના લુવારીયા કૃષ્ણગઢ ગામની સીમમા ગાગડીયા અને જમકુડી નદીના પાણી બંને તરફ ફરી વળતા એક ટીલા પર ગઇકાલે ત્રણ સાવજો ફસાઇ ગયા હતા પાઠડા સાવજોને સલામત સ્થળે ખસેડવા માટે વનવિભાગને પાણી ઉતરે તેની રાહ જોવી પડી હતી. ભારે વરસાદની આગાહીને પગલે સાવજોની સુરક્ષા માટે સમગ્ર વનતંત્રને એલર્ટ પર રાખવામા આવ્યું છે. ખાસ કરીને સાવજોના રહેણાક વિસ્તારમા સતત પેટ્રોલીંગ કરવાની વનકર્મીઓને સુચના અપાઇ છે. કારણ કે અગાઉ પુરના કારણે સાવજોના મોતની ઘટના બની ચુકી છે. કૃષ્ણગઢ લુવારીયાની સીમમા ભારે પુરની વચ્ચે ઉંચી જગ્યાએ ચડી ગયેલા ત્રણેય પાઠડા સાવજો પર તંત્રએ સતત દેખરેખ રાખી હતી અને મોડીરાત્રે પાણી ઉતરતા તેને સલામત વિસ્તાર તરફ ખદેડી દીધા હતા.

No comments: