Monday, September 30, 2019

દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી છે, 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે: રાજ્યપાલ

  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા બે દિવસીય વર્કશોપમાં હાજર રહ્યા

Divyabhaskar.Com

Sep 16, 2019, 02:55 PM IST
જૂનાગઢ: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢની મુલાકાતે હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે સુભાષ પાલેકર પ્રકૃતિ ખેતી જન આદોલન ગુજરાત દ્વારા યોજાનાર બે દિવસીય વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનું કારણ રાસાયણિક ખેતી છે. 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે.
જેતુનાશક જવાથી મોટુ નુકસાન પહોંચી રહ્યું છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુરીયા ડીએપી રાસાયણિક ખાતરથી જમીન બંજર બની જાય છે. જીવામૃત, ઘન જીવામૃતથી બંજર જમીનમાં પહેલા વર્ષથી જ ઉત્પાદન થવા લાગ્યું છે. રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી વિદેશી ફેક્ટરીના ભોપાલ ગેસકાંડમાં 1 કલાકમાં 40 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. તો આ રાસાયણિક ખાતર પાકને આપી તેમાંથી મળતુ ઉત્પાદનમાં પણ ઝેરી અસર થાય છે. તે આપણને કેટલું નુકસાન પહોંચાડે છે. આપણે બોલીએ છીએ ગૌમાતાની જય પરંતુ આપણે ગાય નથી પાળતા કે નથી ગાયનું દૂધ પીતા તો શેની ગૌમાતાની જય. અસાધ્ય રોગ રાસાયણિક ખાતરથી જ થાય છે. મહારાષ્ટ્રમાં જંતુનાશક દવાની ગંધથી જ 40 ખેડૂતોના મોત થયા હતા. આ દવાનું ઝેર શાકભાજી, ફ્રૂટ અને પશુના ચારામાં જાય છે. જેનાથી આપણને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે.
(અતુલ મહેતા, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/governor-meet-junagadh-agriculture-university-at-junagadh-1568543746.html?art=next

No comments: