Monday, September 30, 2019

સાવજોમાં પણ હોય છે સજાતીય વૃત્તિ, ગીરના દેવળિયાના બે સિંહ એકબીજા સાથે સજાતીય સંબંધ ધરાવે છે

  • 7 અલગ અલગ કિસ્સાનો અભ્યાસ કરવામાં આવ્યો઼
  • 3 વર્ષના સિંહો ઉત્સુકતા અને જિજ્ઞાસાવૃત્તિને લીધે સજાતીય સંબંધ બાંધતા જોવા મળ્યા
  • આ પ્રકારની વૃત્તિ માત્ર સિંહોજ નહીં તમામ પ્રકારનાં વન્ય અને પાલતુ પ્રાણીઓમાં પણ ઘણી વખત જોવા મળે છે

Divyabhaskar.Com

Sep 25, 2019, 12:14 AM IST
જૂનાગઢ: માદા સાથે મિલન શક્ય ન બન્યું હોય એવા અમુક સાવજોમાં સજાતીય વૃત્તિ પણ જોવા મળતી હોય છે. વનઅધિકારીઓ અને સંશોધકોના અવલોકનોમાં આ પ્રકારની વૃત્તિ જોવા મળી છે. જંગલનો રાજા ગણાતા સિંહ પૈકીના અમુક પણ સજાતીય સેક્સની વૃત્તિ ધરાવતા હોવાનું એક અવલોકન દરમિયાન જાણવા મળ્યું છે. 2 થી 3 વર્ષની વયના સિંહો ઉત્સુકતા અને જિજ્ઞાસાવૃત્તિને લીધે સજાતીય સંબંધ બાંધતા જોવા મળ્યા હતા.
સાસણ નજીક દેવળીયામાં 2017 નો એક કેસ નોંધવામાં આવ્યો હતો
અગાઉ ગીરના સિંહોમાં સમલૈંગિકતાની નોંધ વન અધિકારીઓ, વન્યપ્રાણી સંરક્ષકો અને સંશોધકો દ્વારા 1973, 1999, 2016 અને તાજેતરમાં 2017 માં કરવામાં આવી છે. અત્યાર સુધીમાં, આ પ્રકારના 7 અલગ અલગ કિસ્સાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. સાસણ નજીક દેવળીયામાં 2017 નો એક કેસ નોંધવામાં આવ્યો હતો કે જ્યાં ઝૂના સિંહો રાખવામાં આવ્યા છે. અહીં બે-ત્રણ વર્ષના સિંહો હોમોસેક્સ માણતા જોવા મળ્યા હતા. આ બંન્ને ગે સિંહો 70 ચોરસ કિમીના વિસ્તાર ઉપર શાસન કરે છે. સિંહો ઉપર અભ્યાસ કરતા કેટલાક પ્રકૃતિપ્રેમીઓ પણ ગીરમાં સિંહોની ગતિવિધિઓને ટ્રેક કરતા હતા. ત્યારે ઘણીવખત પુખ્ત વયના 2.5 થી 3 વર્ષની વયના સિંહોમાં હોમોસેક્સ્યુઆલિટી જોવા મળી હતી. એમ પ્રકૃતિપ્રેમી ડો. જલ્પન રૂપાપરાનું કહેવું છે.
એશિયાટિક સિંહમાં સમલૈંગિકતા શીર્ષક હેઠળ આ અંગેનો એક અહેવાલ પણ છે
નિવૃત્ત વનઅધિકારીઓનાં કહેવા મુજબ, આ પ્રકારની વૃત્તિ સામાન્ય રીતે માદા સાથેના સંવનન વિના વિચરતા સિંહોમાં જોવા મળે છે. નર સિંહોમાં આ પ્રકારનું સમલૈંગિક વર્તન જોવા મળ્યું હતું. મુખ્યત્વે 1998 થી 2000 દરમિયાન અમે ઘણી વખત આ માટેનો અહેવાલ આપ્યો હતો. એશિયાટિક સિંહમાં સમલૈંગિકતા: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાંથી એક કેસ અધ્યયન” શીર્ષક હેઠળ આ અંગેનો એક અહેવાલ પણ છે. આ પ્રકારની વૃત્તિ માત્ર સિંહોજ નહીં તમામ પ્રકારનાં વન્ય અને પાલતુ પ્રાણીઓમાં પણ ઘણી વખત જોવા મળે છે. અને એ સામાન્ય કૃદરતી પ્રક્રિયા છે એમ સીસીએફ ડી. ટી. વસાવડા કહે છે.
આજીવન કેદમાં દેવળિયાના બંને ગે સાવજો
ગૌતમ અને ગૌરવ બંનેએ દેવળિયામાં વનકર્મચારી પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આ બનાવ બાદ બંનેને આજીવન કેદ ફરમાવાતાં જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતેની જેલમાં રખાયા છે.
સજાતીય સંબંધ વખતે ખોરાક ટાળતા હતા
અભ્યાસ દરમિયાન એમ જણાયું કે, સિંહોમાં સમલૈંગિક સંપર્ક દરમિયાન તેઓ ખોરાકને ટાળતા હતા.તેમનો વિસ્તાર પણ બદલી નાંખતા હતા. જે વિજાતીય સમાગમ દરમિયાન અસામાન્ય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-two-lions-of-girs-have-a-homogeneous-relationship-with-each-other-125774909.html

No comments: