Monday, September 30, 2019

કોઇપણ ગાયની કૂખેથી હવે ગીર ગાય જન્મી શકશે, ભારતે ટેક્નોલોજી ખરીદી, ભારત-બ્રાઝીલ વચ્ચે 1 લાખ ડોઝનો કરાર થયો

  •  ટેક્નોલોજી બ્રાઝીલે વિકસાવી છે, જે ટેકનોલોજીનો અમલ હવે ભારતમાં પણ થશે

Divyabhaskar.Com

Sep 21, 2019, 10:41 AM IST
જૂનાગઢ:કોઇપણ ઓલાદની ગાયની કૂખેથી ગીર ઓલાદની ગાય જન્મી શકે છે. આ ટેક્નોલોજી બ્રાઝીલે વિકસાવી છે અને ભારતે આ ટેક્નોલોજી થકી ભારતની જે મૂળ 8 ગાયની પ્રજાતિઓ છે તેને બચાવવા, તેનું સંવર્ધન કરવા માટે આ ટેક્નોલોજી ખરીદી લીધી છે. જૂનાગઢનાં જામકા ખાતે ગઇકાલે આવી પહોંચેલા બ્રાઝીલીયન વૈજ્ઞાનિકો ડો. જોશ ઓટ્ટાવિયો અને ડો. ફર્નાન્ડોએ જામકા ખાતે આ વિગતો આપી તેની ચર્ચા પણ કરી હતી.
બ્રાઝીલમાં હાલ 21 કરોડ 50 લાખ ગીર ગાયો છે
ડો. ફર્નાન્ડો ગૌવંશની એમ્બ્રિયો ટેક્નોલોજીનાં નિષ્ણાંત છે. એમ્બ્રિયો એટલે ભ્રૂણ. જેમાં કોઇપણ ગાયને સરોગેટ મધર બનાવી તેની કૂખેથી ગીર કે ભારતની મૂળ 8 પ્રજાતિ પૈકીની કોઇપણ ગાયને જન્માવી શકાય એવી આ ટેક્નોલોજી છે. ભારત અને બ્રાઝીલ વચ્ચે હજુ 4 દિવસ પહેલાંજ બ્રાઝીલથી ગીર ગાયનાં 1 લાખ ભ્રૂણનાં ડોઝ લાવવાનો કરાર કર્યો છે. બ્રાઝીલે વર્ષો પહેલાં ભાવનગરથી ક્રિષ્ના નામનો ધણખૂંટ અને 5 ગીર ગાયો મંગાવી હતી. એમાંથી આજે ત્યાં 21 કરોડ 50 લાખ ગીર ગાયો છે. ત્યાંની સંસદની બહાર આજે ક્રિષ્ના ધણખૂંટની પ્રતિમા પણ મૂકેલી છે. આપણે આજે જર્સી ગાયનું અને રોગને આમંત્રણ આપતું એ-1 પ્રકારનું દૂધ પીએ છીએ. તેને બદલે શ્રેષ્ટ ગુણવત્તાનું એ-2 પ્રકારનું દૂધ પીવા સાથે દુનિયામાં તેનો પાવડર બનાવીને નિકાસ પણ કરી શકીએ એ માટે આ એમ્બ્રિયો ટેક્નોલોજીની આયાત કરાઇ રહી છે.
વિદેશી વૈજ્ઞાનિકોને ગૌવંશ માટેના પોષાક ભેટમાં અપાયા
જામકા ખાતે ગીર ગાયોના વંશની ચર્ચા અને આદાન પ્રદાન સાથે બંને વૈજ્ઞાનિકો ભારતમાં માનવી પોતે કેવી રીતે રહે છે અને ગૌવંશનું જતન કેવી રીતે કરે છે. તેની વિગતો જાણી હતી. આ તકે પરસોત્તમભાઇ સીદપરા સહિતનાએ તેમને ગાયોને પહેરાવવાનાં પોષાકની ભેટ આપી હતી. આ પોષાક બ્રાઝીલના પશુમેળામાં વિજેતા થનાર 3 ગૌવંશને પહેરાવવામાં આવનાર છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/india-can-born-gir-cows-from-any-cow-india-buys-technology-125755571.html

No comments: