Monday, September 30, 2019

ધારી તાલુકાનાં આંબરડી ગામની બજારમાં મધરાતે સિંહના આંટાફેરા

DivyaBhaskar News Network

Sep 07, 2019, 05:55 AM IST
ધારી ગીરકાંઠાના ગામોમાં શિકાર માટે સાવજો હવે ગમે ત્યારે ગમે તે ગામમાં ઘૂસી જાય છે. ધારી નજીક આવેલા આંબરડી ગામની સીમા લાંબા સમયથી સાવજોનો વસવાટ છે. એક સાવજ ગઈ મધરાતે શિકારની શોધમાં આંબરડી ગામમાં આવી ચડ્યો હતો. અને ગામની બજારોમાં આંટા-ફેરા માર્યા હતા. 

ધારી તાલુકાના આંબરડી આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી સાવજો વસી રહ્યા છે. બાજુમાં જ આંબરડી પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં વનવિભાગ દ્વારા સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ પાર્કની બહાર તથા ગામની સીમમાં પણ અન્ય સાવજોનો વસવાટ છે. જે અવારનવાર માલધારીઓ અને ખેડૂતોના ઉપયોગી પશુઓનું મારણ કરતા રહે છે. આ સાવજો ઉનાળાના સમયમાં પાણી માટે દૂર દૂર સુધી ભટકતા રહે છે. શિકારની શોધમાં પણ તેને આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. સાવજો જ્યારે સીમમાં શિકાર ન મળે ત્યારે શિકાર માટે કોઇપણ ગામમાં ઘૂસી જાય છે. 

આંબરડી ગામમાં શિકાર માટે ગઈ રાત્રે આવી જ રીતે એક સાવજ ઘૂસી ગયો હતો. સાવજે અહીં ગામની બજારમાં આંટા-ફેરા માર્યા હતા. જોકે તે કોઈ પશુઓનો શિકાર કરી શક્યો ન હતો. ગામલોકો જાગી ગયા હોય અને વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હોય સાવજે પણ સિમની વાટ પકડી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભા વિગેરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવી રીતે સાવજો અવારનવાર કોઈને કોઈ ગામમાં આવી ચડે છે. અને મારણ કરતા રહે છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-midnight-lion39s-entourage-at-anambari-village-bazaar-of-dhari-taluka-055513-5420342-NOR.html

No comments: