Monday, September 30, 2019

વન વિભાગમાં ફરજ બજાવતાં 48 આરએફઓની બદલી

Sep 23, 2019, 05:56 AM IST
અમરેલી | ગુજરાત સરકાર દ્વારા રાજયના વન વિભાગમાં ફરજ બજાવતા 48 આરએફઓની બદલી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના રાજુલા રેન્જમાં ફરજ બજાવતા રાજલબેન.ડી. પાઠકને ગીર સોમનાથના વિસાવદર રેન્જમાં બદલી કરવામાં આવી છે. તેમજ સાવરકુંડલા રેન્જમાં ફરજ બજાવતા યુ.વી. તનવાણીની જાફરાબાદ રેન્જમાં બદલી કરાઈ છે. અહી બદલીમાં રાજુલામાં સાબરકાંઠાથી બદલી થયેલા ટી.એસ. ચૌધરી આવ્યા છે. તેમજ સાવરકુંલા રેન્જમાં હજુ સુધી કોઈ પણ આરએફઓને મુકવામાં આવ્યા નથી. ત્યારે આગામી સમયમાં સાવરકુંડલા રેન્જમાં કયા નવા અધિકારી આવે તે જોવાનું રહેશે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-replaced-48-rfos-while-on-duty-in-the-forest-department-055634-5549621-NOR.html

No comments: