Monday, September 30, 2019

વિસાવદરનાં ભટ્ટવાવડીની સીમમાં દીપડાએ પ્રૌઢને અને ખાંભાના મુંજીયાસરમાં 70 વર્ષના વૃદ્ધને ફાડી ખાધા

  • ચાર દિવસે કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખબર પડી
  • નજીકમાં ફૂટમાર્કનાં આધારે દીપડો હોવાનું અનુમાન

Divyabhaskar.Com

Sep 20, 2019, 03:23 PM IST
જૂનાગઢ:વિસાવદરનાં ભટ્ટવાવડી સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનાં હુમલામાં મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. હાલ તો ફોરેન્સીક લેબમાં મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ ભટ્ટવાવડી ગામમાં રહેતા જયમતભાઇ વાળાનાં ખેતર પાસે અતિ દુર્ગંધ આવતી હતી. તપાસ કરતાં અહીં મૃતદેહ પડયો હતો. જેની જાણ સરપંચને કરવામાં આવી હતી. સરપંચે પોલીસ અને વન વિભાગનાં અધિકારીને જાણ કરતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહની આસપાસ તપાસ કરતાં દીપડાનાં ફુટમાર્ક જોવા મળ્યાં હતાં. પ્રાથમિક તારણમાં દીપડાનાં હુમલાનું મૃત્યુ થયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ખાંભાના મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી.
મૃતદેહને ફોરેન્સીક લેબમાં જામનગર મોકલાયો
મૃતદેહની ઓળખ માટે તપાસ કરતાં ભલગામમાં રહેતા નાનજીભાઇ માલાભાઇ (ઉ.વ.50)નું હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગે મૃતકનાં પુત્ર રાજેશભાઇને જાણ કરી હતી. મૃતદેહને વિસાવદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડો.ફુલાત્રાએ જણાવ્યું હતું કે મૃતદેહ કોહવાહી ગયો છે અને બે -ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયાંનું અનુમાન છે. હાલ મૃતદેહને ફોરેન્સીક લેબમાં જામનગર મોકલવામાં આવ્યું છે.
13 હજાર રૂપિયા મળી આવ્યાં
પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમની પાસે કોઇ દિવસ 30થી 40 રૂપિયાથી વધુ રૂપિયા વધુ હોય નહીં. પરંતુ તેમના મૃતદેહ નજીકથી 13 હજાર રૂપિયા મળી આવ્યાં છે. જે માનવામાં આવતું નથી.
મૃતકની વર્ષો પહેલા ભટ્ટવાવડીમાં જમીન હતી
મૃતક નાનજીભાઇની વર્ષો પહેલા ભાટવાવડી જમીન અને મકાન હતાં. જે વેંચી ધારીનાં ગુંદાળા જતાં રહ્યાં હતાં. તેમના ભાઇ ભલગામ ખાતે રહે છે. રવિવારનાં ત્યાંથી નિકળ્યાં હતાં અને ભાટવાવડી ગામે આવ્યાં હતાં. તેઓ અવાર-નવાર ભટ્ટવાવડી ગામે આવતાં અને ત્રણ-ચાર દિવસ રોકાતા હતાં.
મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી
ખાંભાના મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 5 વાગ્યે કુદરતી હાજતે ગયેલા નાનીબેન નામના 70 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. દીપડો વૃદ્ધ મહિલાને લઈ 1 કિમી દૂર સુધી ઢસડી મુજીયાસરની સિમ વટાવી ત્રાકુંડા ગામની ગોબરભાઈ પ્રજાપતિની વાડીમાં લઈ જઈ ફાડી ખાધા હતા.. હાલ લોકોએ દીપડાને પાંજરે પુરવા માંગ કરી રહ્યાં છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leapord-attack-on-old-man-in-visavadar-125748499.html

No comments: