Monday, September 30, 2019

મિતિયાળા અભ્યારણ્ય નજીક બે દિવસથી સિંહ-સિંહણના રસ્તા પર ધામા, ખેડૂતો વાડીએ જઇ શકતા નથી

  • મિતિયાળા અભ્યારણ્ય તરફ જવાના રસ્તે સિંહ-સિંહણે અડિંગો જમાવ્યો

Divyabhaskar.Com

Sep 05, 2019, 01:25 PM IST
ખાંભા: હાલ છેલ્લા 5 દિવસથી ધીમી ધારે ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગીર અભ્યારણ્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે અભ્યારણ્યમાં વસતા સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ અભ્યારણ્ય છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા છે. ખાંભા નજીક આવેલ મિતિયાળા અભ્યારણ્ય છોડી એક સિંહણ, સિંહ અને તેના 2 બાળસિંહ રસ્તા પર આવી ચડ્યા છે. ત્યારે સિંહણ દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ જ અડિંગો જમાવી દેતા આ વિસ્તારના ખેડૂતો પોતાની વાડી ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે. જ્યારે અહીં રેવન્યુ વિસ્તાર નજીક એક મારણ પણ કર્યું હતું.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/mittiyala-sanctuary-nazir-for-two-days-the-lions-do-not-go-to-the-lions-on-the-lions-road-1567662393.html

No comments: