Monday, September 30, 2019

ગીર જંગલમાં રેલવે ટ્રેક પરથી પાણી ઓસરતાં ફરી ટ્રેન વ્યવહાર શરૂ

DivyaBhaskar News Network

Sep 10, 2019, 06:00 AM IST
ગીરના જંગલમાં ધોધમાર વરસાદના પગલે રેલવે લાઈન પર પાણી ભરાયા હતા. જેના પગલે ગઈકાલે અમરેલીથી વેરાવળની તમામ ટ્રેન રદ કરવામાં આવી હતી. પણ અહી જંગલમાં પાણી ઓસરતા ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં અવ્યો હતો. ગીરના જંગલમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી ચારે તરફ નદીઓ ગાંડીતુર બની હતી. જેના કારણે જંગલમાંથી પસાર થતા રેલવે લાઈન પર પાણી ભરાવાની પગલે રેલવે વિભાગે અમરેલીથી વેરાવળની તમામ ટ્રેન રદ કરી હતી. પણ આજે અહીના જંગલમાં રેલવે લાઇન પરથી પાણી ઓસરી જતા રેલવે વિભાગે અહીના તમામ રૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અમરેલીથી સવારે ઉપડતી અમરેલી- વેરા‌વળ અને બપોરની અમરેલી વેરાવળ ટ્રેન રવાના કરી હતી. અમરેલી રેલવેના સ્ટેશન માસ્ટર જાનીભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલના વરસાદના પગલે જંગલમાં પાણી ભરાયા હતા. જે આજે ઓસરી જતા અહીથી ઉપડતી તમામ ટ્રેન શરૂ કરાઇ હતી. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-trains-started-flowing-again-after-the-water-flowed-from-the-railway-track-in-gir-forest-060015-5444752-NOR.html

No comments: