Monday, September 30, 2019

એશિયાની સૌથી મોટી પરીયોજના ગણાતો ગિરનાર રોપ-વેની તમામ જૂનાગઢવાસીઓ કાગડોળે

DivyaBhaskar News Network

Sep 27, 2019, 06:55 AM IST
એશિયાની સૌથી મોટી પરીયોજના ગણાતો ગિરનાર રોપ-વેની તમામ જૂનાગઢવાસીઓ કાગડોળે વાટ જોઇ રહ્યા છે. જોકે, હવે તેનું આગામી ડિસેમ્બરમાં ખુદ વડાપ્રધાનનાં હસ્તે ઓપનીંગ થવાની જાહેરાત થઇ ચૂકી છે. આ યોજના શરૂ થતાં જૂનાગઢમાં કાયમી ધોરણે ઓછામાં ઓછા 15 થી 20 હજાર પ્રવાસીઓની આવનજાવન રહેશે એમાં બેમત નથી. રાજકોટ, જામનગર, વેરાવળ, પોરબંદર, અમરેલી, સહિતનાં શહેરોમાંથી લોકો ખાસ રોપ-વેમાં ગીરનાર જવા માટે પણ આવી પહોંચશે. પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો ગુરૂદત્તાત્રેયનાં શીખરે આવે છે. રોપ-વે શરૂ થતાં તેની સંખ્યા હજુ વધશે. દુનિયાભરનાં ફોટોગ્રાફરો, ફરવાનાં શોખીનોનો ધસારો વધવાનો છે. જૂનાગઢમાં અત્યારથીજ નવી હોટલો બનવા લાગી છે. તો બ્રાન્ડેડ રેસ્ટોરન્ટો પણ પોતપોતાનાં આઉટલેટો ખોલશે. જેને લીધે જૂનાગઢમાં પ્રવાસન આધારિત રોજગારી વધ્યા વિના રહેવાની નથી. ગિરનારમાં જયારે ઓછા પ્રવાસીઓ હોય એ ચોમાસાની સિઝનમાં સિમલા જેવો નજારો દેખાય. રોપ-વે થતાં ચોમાસામાં પણ પ્રવાસીઓ વધશે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-all-the-old-timers-of-rop-way-considered-the-largest-in-asia-065510-5582825-NOR.html

No comments: