Monday, September 30, 2019

પર્યાવરણને બચાવવા જટાશંકર ખાતે 12 મોટી કચરાપેટી મૂકાઇ

DivyaBhaskar News Network

Sep 25, 2019, 06:50 AM IST
ગરવા ગિરનારની ગોદમાં આવેલ જટાશંકર ખાતે ખાસ કરીને વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને કુદરતી સૌંદર્યની મોજ માણે છે. પરંતુ આ શિક્ષિત લોકો દ્વારા જ પર્યાવરણને મોટુ નુકશાનકર્તા પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકવામાં અાવે છે જેના લીધે પર્યાવરણને નુકશાન પહોંચે છે ત્યારે અહિં મોટી કચરા પેટીઓ મુકવામાં અાવી છે. 

જૂનાગઢ જેસીઆઇ સંસ્થા દ્વારા જટાશંકર ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકો જંગલ વિસ્તારમાં જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને પર્યાવરણને નુકશાનથી બચાવી શકાય તેવા ઉદ્દેશ્યથી ફોરેસ્ટ અધિકારીઓને 12 મોટી કચરાપેટીઓ જટાશંકર રૂટ ઉપર મુકવા અર્પણ કરાઇ છે. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, પ્રમુખ ડો.વિમલ ગજેરા, કિશોરભાઇ ચોટલીયા, પરેશ મારૂ, જયદિપ ધોળકીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ મોટી કચરાપેટીને જટાશંકર સુધી પહોંચાડવામાં વિરલ કડેચા, આશિષ સોજીત્રા, આશિષ સીમેજીયા, પ્રશાંત ચાવડા, કુલદીપ સોની, ચેતન સાવલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-12-large-garbage-cans-were-placed-at-jatshankar-to-protect-the-environment-065026-5565672-NOR.html

No comments: