Monday, August 31, 2020

ગીર મધ્યનું તુલસીશ્યામ મંદિર હજુ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

September 30

ગીરની મધ્યમાં આવેલ તુલસીશ્યામ મંદીર દર્શનાર્થીઓ માટે બંધ રખાયું છે. પરંતુ દ્વારકા અને સોમનાથના મંદિર ખુલ્લા હોય અનેક પ્રવાસીઓ તુલસીશ્યામમાં પણ આવી ચડે છે. હાલમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં તુલસીશ્યામ મંદિર હજુ આગામી તારીખ 30/ 9 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગીરમાં રમણીય સ્થળે તુલસીશ્યામ મંદિર આવેલું છે. અહીં પ્રકૃતિ પણ બરાબરની ખીલેલી છે. જો કે હાલમાં શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરવાજા બંધ છે.

લોકડાઉનના સમયથી અહીં શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ રખાયું છે. અનલોકની પ્રક્રિયા દરમિયાન સોમનાથ અને આસપાસના અન્ય મંદિરોમાં ધીમે ધીમે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો છે. જો કે તુલસી શ્યામ મંદિર ભાવિકો માટે બંધ હોવા છતાં અનેક ભાવિકો અહીં દર્શન માટે પહોંચી જાય છે. જેને પગલે કોરોના સંક્રમણને ધ્યાને લઈને આજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં હજુ વધુ એક માસ માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અહીં ગરમ પાણીના કુંડમાં સ્નાન માટે પણ લોકો માટે આવે છે. રૂકમણીજીના ડુંગર પર ચડવાનો પણ મહિમા છે. તુલસીશ્યામ ધામના ટ્રસ્ટી અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ આ સ્થિતિને ધ્યાને લઇ શ્યામ સેવકોને આગામી 30/ 9 સુધી મંદિરે દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/the-tulsishyam-temple-in-central-gir-will-remain-closed-till-september-30-127668634.html

No comments: