Monday, August 31, 2020

પ્રકૃતિના પરિજનો ફરી કુદરતના ખોળે વિહાર

 માંગરોળ12 દિવસ પહેલા



પક્ષીઓના કલરવ વગરની પ્રકૃતિ અધુરી છે. પ્રકૃતિનું અભિન્ન અંગ ગણાતા પક્ષીઓ બંધનમાં નહીં, પરંતુ કુદરતના ખોળે જ વિહરતા સારા લાગે. બન્યું એવું કે માંગરોળ નજીકના બુધેચા ગામે નાળીયેરીના બગીચામાં એક ઝાડ પર ચંદન ઘો આવી ચઢતા હેબતાઈ ગયેલી બતક અને તેના ૧૯ બચ્ચા નીચે પડ્યા હતા. વાડીમાલિકે તેને બચાવવા શિવમ ચક્ષુદાન સંસ્થાના નાથાભાઈ નંદાણીયાને જાણ કરી હતી. તેઓએ પર્યાવરણ સાથે સંકળાયેલી સંજીવની નેચર ફાઉન્ડેશનને માહિતગાર કરતા તેઓ ત્યાં પહોંચી બતક અને બચ્ચાને ત્યાંથી લઈ જઈ ૩૩ કિ.મિ. દુર શીલના તળાવમાં મુક્ત કર્યા હતા. પરંતુ મોડી સાંજે વાડીમાં વધુ બે બચ્ચા નજરે પડતા, આ બચ્ચા તેની માતાથી વિખુટા ન પડી જાય તે માટે તેને ત્યાંથી લાવી, બપોરે માદા બતક અને ૧૯ બચ્ચાઓને જ્યાં છોડ્યા હતા. ત્યાં યુવાનોની ટીમે ટયુબના સહારે તળાવમાં જઈ વિખુટા પડેલા બચ્ચાઓનું માતા સાથે મિલન કરાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/mangrol/news/natures-relatives-visit-nature-again-127631351.html



  • No comments: