Monday, August 31, 2020

ગણેશ નગરમાં આવી ચડેલા મગરનું વન વિભાગે કર્યું રેસ્કયું

 જૂનાગઢ15 કલાક પહેલા

  • ભારે વરસાદથી નદીના પાણીમાં તણાઇ મગર રહેણાંક વિસ્તારોમાં આવી
  • મગરને પાંજરે પૂરી ડેમમાં સહિ સલામત રીતે છોડી મૂકાયો

છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓમાં ભારે પૂર આવ્યા છે. આ પૂરના પાણીની સાથે મગરો તણાઇ આવવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ ગિરનાર દરવાજા વિસ્તારમાં બનવા પામ્યો હતો. શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગણેશ નગરના એક રહેણાંક મકાનમાં રવિવારે મગર આવી ચડ્યો હતો. આ અંગેની જાણ થતા રહેવાસીઓએ ડેલીનો દરવાજો બંધ કરી મગરને પૂરી દીધો હતો. બાદમાં વન વિભાગની ટીમને જાણ કરી હતી. મગરની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને રેસ્કયુ કરી મગરને પાંજરામાં પૂરી દેતા સ્થાનિક રહેવાસીઓને હાશકારો થયો હતો. વન વિભાગની ટીમે બાદમાં મગરને સહિ સલામત રીતે ડેમમાં છોડી મૂક્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-forest-department-rescued-the-crocodile-in-ganesh-nagar-127668790.html


No comments: