Monday, August 31, 2020

નિવૃત્ત થયેલા પતિ, પત્નિએ બે - હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું

 જૂનાગઢ4 દિવસ પહેલા


  • નિવૃત્તિમાં પણ સતત પ્રવૃત્ત રહેતા દંપત્તિની દાસ્તાન : 4 બગીચા તેમજ આજુબાજુની સોસાયટીને હરિયાળી બનાવી

જૂનાગઢના નિવૃત્ત થયેલા પતિ, પત્નિએ 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે ભરતભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, જોષીપરા કન્યા છાત્રાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા વલ્લભભાઇ ખુંટ અને તેમના પત્નિ સરોજબેનની જુગલ જોડી પર્યાવરણ પ્રેમી છે. તેઓએ અત્યાર સુધીમાં 4 બગીચાઓ તેમજ અનેક સોસાયટીમાં વૃક્ષારોપણ કર્યું છે.

1993માં જોષીપરામાં સંત ભોજલરામ બગીચામાં 120થી વધુ વૃક્ષો વાવ્યા હતા. 2008માં ગોપાલનગરમાં માધવ બાગમાં મનસુખભાઇ રાદડીયા અને તેમની ટીમના સહયોગથી 225 વૃક્ષો વાવ્યા હતા. જ્યારે 2009માં સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાનમાં 225 વૃક્ષો વાવ્યા હતા. 2018માં ગોપાલ નગરના નિલકંઠ બાગમાં 300 વૃક્ષો વાવ્યા હતા. આ ઉપરાંત જોષીપરા કન્યા છાત્રાલયના તેમજ એનઅેસએસના છાત્રોના સહયોગથી પણ અનેક સોસાયટીમાં વૃક્ષો વાવવાની કામગીરી જારી રાખી સમગ્ર વિસ્તારને હરિયાળી બક્ષી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/retired-husband-and-wife-planted-more-than-two-thousand-trees-127659624.html
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/retired-husband-and-wife-planted-more-than-two-thousand-trees-127659624.html

No comments: