Monday, August 31, 2020

ધારીના કાથરાેટામાં રાેજેરાેજ પશુનું મારણ કરતા સાવજાે

 અમરેલી23 દિવસ પહેલા

  • શુક્રવારે બળદનું મારણ કર્યા બાદ શનિવારે વાછરડી મારી નાખી

ગીરકાંઠાના ધારી તાલુકામા ચાેમાસાના સમયમા શિકાર માટે સાવજાે ગ્રામ્ય વિસ્તારમા બજારાેમા પણ ચડી આવે છે. અને લાેકાેના ઉપયાેગી પશુઓના મારણની ઘટના વધી છે. બે દિવસ પહેલા શિકારની શાેધમા સાવજાે ચલાલાની બજારમા પણ ઘુસી ગયા હતા. અને અહી બજારમા રખડતી ગાયાે પાછળ દાેટ મુકી હતી. તાે બીજી તરફ ધારીના કાથરાેટામા પણ અવારનવાર સાવજાે ચડી આવે છે. ગઇકાલે અહીના વિપુલભાઇ તંતીના બળદને સાવજે ફાડી ખાધાે હતાે. જેના પગલે ખેડૂતાેમા ફફડાટની લાગણી ફેલાઇ હતી. આ વિસ્તારમા સાવજાેના કાયમી ધામા છે. જેથી ખેડૂતાેને વાડી ખેતરમા કામ કરતી વખતે પણ ધ્યાન રાખવુ પડે છે. તાે બીજી તરફ આજે પણ કાથરોટા ગામે વહેલી પરાેઢે અહી સાવજ ચડી આવ્યાે હતાે અને અહીના જહાભાઇ રબારીના ઘર સામે જ એક વાછરડીનુ મારણ કર્યુ હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/in-dharis-katharata-rajaraj-killed-the-animal-127598872.html


No comments: