Monday, August 31, 2020

સિંહ દિવસ નિમીત્તે નેચર ફાઉન્ડેશન દ્વારા ખાંભામાં કમોતે મરેલા સાવજોને શ્રદ્ધાંજલી

 અમરેલી21 દિવસ પહેલા



ભુલકાઓેને સિંહના મોહરાનું વિતરણ કરાયું
  • અમરેલીમાં સિંહને પ્રતિમાને રાખડી બાંધી બાળકોને સાવજના માસ્કનું વિતરણ

વિશ્વ સિંહ દિવસ નિમીતે ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મૃતક સાવજોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. ઉપરાંત બાળકોને બુક, માસ્કનુ વિતરણ કરાયુ હતુ. જયારે અમરેલીમા સાવજના પુતળાને રાખડી બાંધી બાળકોને સિંહના મહોરા અપાયા હતા. ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાના અધ્યક્ષસ્થાને તેના કાર્યાલયમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. અહી ગીર જંગલમા છાશવારે સાવજો કમોતે મરતા હોય સંસ્થાના કાર્યકરોએ મૃતક સાવજોને શ્રધ્ધાંજલી આપી હતી. ઉપરાંત ભુલકાઓને નોટબુક, માસ્ક, બોલપેન અને ચકલી ઘરનુ વિતરણ કરવામા આવ્યું હતુ.

બીજી તરફ અમરેલીમા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ અનોખી ઉજવણી કરાઇ હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર ચિલ્ડ્રન મ્યુઝીયમ અને બાલભવનના ઉપક્રમે સંજયભાઇ રામાણી, હાર્દિકભાઇ, વિપુલભાઇ વ્યાસ વિગેરેની ઉપસ્થિતિમા અહી સાવજની પ્રતિમાને રાખડી બાંધી ભુલકાઓને સિંહના મહોરાનુ વિતરણ કરાયુ હતુ.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/nature-foundation-pays-tribute-to-savjo-127604615.html



  • No comments: