Monday, August 31, 2020

કડિયાળી ગામે ડાલામથ્થા સાવજે ત્રણ દિવસમાં છ પશુનું મારણ કરતાં રોષ

રાજુલા 2 દિવસ પહેલા

જાફરાબાદ તાલુકામા છેલ્લા કેટલાક દિવસોથી સિંહ, દીપડાની રંજાડ વધી ગઇ છે. અહી એક ડાલામથ્થા સાવજે ત્રણ દિવસમા છ પશુઓનો શિકાર કરતા વનવિભાગ સામે ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમા આરએફઓ પણ સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાંજ પડે અને કડીયાળીની સીમમા સિંહ ઘુસી આવે છે. અહી મોડી રાત્રે પણ સાવજે ફરજામા ઘુસી બે પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગામોમા સિંહોનો વસવાટ છે.

પરંતુ પેટ્રોલિંગના અભાવે સિંહો અને વન્યપ્રાણીની વધતી જતી રંજાડ સામે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વનવિભાગના આરએફઓ કક્ષાના અધિકારીને જાણ કરવા છતા કોઈ પરિણામ આવતુ નથી. ગામ લોકોની માંગ છે કે અહીં એક જ સિંહ ગામમાં આવી પશુના શિકાર કરેે છે તેની પાંજરે પુરી દુર ખસેડવામા આવે. વનવિભાગના અધિકારીઓ નિષ્ક્રિય રહેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

RFO ફરજ દરમિયાન તાલુકા બહાર રહે છે ?
અહીના આરએફઓ જાફરાબાદ તાલુકામા રહેતા ન હોવાનો ગણગણાટ શરૂ થયો છેે. ગંભીર ઘટનાઓ બનતી હોય છતા હાજર રહેતા નથી. ત્યારે અધિકારીઓ હાજર રહે જેથી ગ્રામિણ વિસ્તારમા સિંહ, દીપડા સહિત વન્યપ્રાણીઓ પર નજર રહી શકે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/in-kadiyali-village-dalamaththa-savage-is-angry-over-killing-six-animals-in-three-days-127664874.html

No comments: