Monday, August 31, 2020

સરકડિયા હનુમાન મંદિરના મહંત સાથે ઘવાયેલા સેવકનું મોત નિપજ્યું

 જૂનાગઢ21 દિવસ પહેલા

  • પાંચેય હુમલાખોરની ચાલતી શોધખોળ, આવેદન અપાયું

7 ઓગસ્ટના રોજ ગોલાધર ગામે ઓધવજી ગગજીભાઇ પર 5 લોકોએ હુમલો કર્યો હતો. ઓધવજીભાઇની દિકરીએ પ્રવિણભાઇ ખોડાના દિકરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ મામલે અગાઉ ફરિયાદ થયેલ હતી. આ બાબતના મનદુખમાં પ્રવિણ ખોડા, વિજય પ્રવિણ, અજય પ્રવિણ, પ્રવિણભાઇનો ત્રીજો દીકરો અને પ્રવિણભાઇના પત્નીએ ઓધવજી ગગજીભાઇ પર પાઇપ, ધારીયું, કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વચ્ચે પડેલ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ પર પણ હુમલો થયો હતો. બાપુને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન મહંત પરના હુમલાના વિરોધમાં શ્રી વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળ દ્વારા એસપીને આવેદન અપાયું છે. આ તકે ખાખચોકના મહંત રામદાસજી, રામઝરૂખાના મહંત દિનબંધુ દાસજી, રામટેકરીના મહંત કિશનદાસજી, સૂર્યમંદિરના મહંત જગજીવનદાસજી, લંબે હનુમાન મંદિરના મહંત અર્જુનદાસજી, સત્યનારાયણ મંદિરના મહંત મનહરદાસજી, રામજી મંદિરના મહંત સુખરામદાસજી, યમુના કુટિરના મહંત સર્વેશ્વરદાસજી, રામવાડીના મહંત ગોપાલદાસજી વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.દરમિયાન બનાવના ફરિયાદી ઓધવદાસ ગગજીભાઇનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની તપાસ પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/an-injured-servant-died-along-with-the-mahant-of-sarkadia-hanuman-temple-127605021.html


No comments: