Monday, August 31, 2020

ક્રાઇમ:સરકડિયા મંદિરના મહંત પર હુમલો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • માથામાં ગંભીર ઇજા થતા જૂનાગઢ બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા

ગિરનાર પરિક્રમાના રૂટ પર આવેલ પ્રાચિન સરકડીયા હનુમાનની જગ્યાના મહંત પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાપુને ગંભીર ઇજા થતા જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ ગિરનાર પરિક્રમાના રૂટ પર સરકડીયા હનુમાન મંદિરની જગ્યા આવેલી છે. આ જગ્યાના મહંત તરીકે હરીદાસબાપુ સેવા કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે ગોલાધર પાસે ગોવાળ ગાયો ચરાવતો હતો ત્યારે કોઇ મામલે માથાકૂટ થઇ હતી. બાદમાં બાપુ સમજાવટ કરવા જતા એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે બાપુ પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં હરિદાસ બાપુને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાપુને પ્રથમ જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાના કારણે વધુ સારવાર અર્થે તાબડતોબ રાજકોટ ખસેડયા છે. હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.

મહંત પર હુમલાથી રોષ
સરકડીયા હનુમાન મંદીરના મહંત પર કરાયેલા હુમલાથી મહંતના શિષ્યોમાં રોષની લાગણી જન્મી છે. દરમિયાન મહંત પરના હુમલાથી સાધુ સંતોમાં પણ રોષ ફેલાયો છે. આવા હુમલાખોરને સત્વરે ઝડપી લઇ તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે જેથી કરીને ફરી કોઇ સાધુ- સંત-મહંત હુમલાનો ભોગ ન બને.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/attack-on-the-abbot-of-sarkadia-temple-127594440.html


  • No comments: